SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ધમબોધ-ચંથમાળા : ૩૮ : : પુષ્પ વિરક્તિ કે સાંસારિક સુખ પ્રત્યે ઉદાસીનતા. તે જ્યાં સુધી પેદા ન થાય ત્યાં સુધી ગસાધના યથાર્થ રીતે થઈ શકતી નથી, બીજા શબ્દોમાં કહીએ તે આપણી સામે બે માર્ગો પડેલા છે, એક ભેગને અને બીજો યેગને. તેમાંથી ભેગને માર્ગ છોડી યોગને માર્ગ પસંદ કરવું જોઈએ અને તે જ તેની સાધના વાસ્તવિક રીતે થઈ શકે. આ કારણે જ નિગ્રંથ મહર્ષિઓએ કહ્યું છે કે— अधुवं जीवियं नच्चा, सिद्धिमग्गं वियाणिया । विणिअदृज भोगेसु, आउं परिमिअमप्पणो ॥ १ ॥ માનવ જીવન નશ્વર છે, તેમાં પણ આપણું આયુષ્ય ઘણું પરિમિત છે. એક મેક્ષમાર્ગ જ અવિચલ છે. આમ જાણીને કામગથી નિવૃત્ત થવું જોઈએ. उवलेवो होइ भोगेसु, अभोगी नोवलिप्पई । भोगी भमइ संसारे, अभोगी विप्पमुच्चई ॥ १ ॥ જે મનુષ્ય ભેગમાં આસક્ત છે તે કર્મથી ખરડાય છે પણ ભેગમાં અનાસક્ત કર્મથી ખરડાતું નથી. ભેગી સંસારમાં પરિભ્રમણ કરે છે, ત્યારે ભેગવિરક્ત કર્મબંધનથી મુક્ત થાય છે. जे केइ सरीरेऽसत्ता, वण्णे रूवे य सवसो । मणसा काय वक्केणं, सवे ते दुक्खसंभवा ॥ १ ॥ જે કઈ મન, વચન અને કાયાથી શરીરમાં, વર્ણમાં કે રૂપમાં આસક્ત છે, તે સર્વે પોતાના માટે દુઃખ ઉત્પન્ન કરે છે.
SR No.022952
Book TitleBe Ghadi Yog
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages88
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy