SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૫: સાચું અને હું ભેળાએ તે પ્રમાણે કર્યું તે તેને જોઈતું દ્રવ્ય મળી ગયું. આથી તે પિતાના પિતાની જે શિખામણને ખેતી અને અનર્થકારી માનતે થયે હતું, તે જ શિખામણને સાચી અને લાભ કરનારી સમજવા લાગે તથા તેના અનુસરણથી સર્વ વાતે સુખી થયે. તાત્પર્ય કે “જે વાત એક રીતે વિચારતાં બેટી લાગે છે, તે જ વાત બીજી રીતે વિચારતાં સાચી લાગે છે.” ચિત્રની પરીક્ષા. એક ચિત્રકારે ઘણી મહેનતે એક ચિત્ર તૈયાર કર્યું. આ ચિત્રમાં તેણે એક નવયૌવનાને વીણા વગાડતી બતાવી હતી. આ ચિત્ર લઈને તે એક રાજા પાસે ગયે. રાજાએ તેને જોઈને કહ્યું કે “આ ચિત્ર આમ તે ઠીક જણાય છે, પણ જે રાજસભામાં મૂકવું હોય તે તેમાં કઈ પણ પ્રકારની ભૂલ નથી તેની ખાતરી કરી લેવી જોઈએ. એ માટે મારે મારી સભાના પંડિતેનો અભિપ્રાય લેવું પડશે. જો તેઓ આ ચિત્રને કેઈ પણ ખામી વિનાનું જાહેર કરશે, તો હું ઘણી ખુશીથી તેને ખરીદી લઈશ અને તમને મોટું ઈનામ આપીશ; તેથી આ વાત મંજૂર હોય તે જણાવે.” ચિત્રકારે રાજાની વાત મંજૂર કરી, એટલે તે ચિત્રને બીજા દિવસે રાજસભા સમક્ષ રજૂ કરવામાં આવ્યું. તે વખતે રાજાએ સભાના સર્વે પંડિતેને ઉદ્દેશીને કહ્યું કે “આજે તમારી સમક્ષ એક ચિત્ર રજૂ થયું છે. તેમાં કઈ પણ પ્રકારની ભૂલ છે કે
SR No.022942
Book TitleSachu Ane Khotu Syadvad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherMuktikamal Mohan Granthmala
Publication Year1952
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy