SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮૭ આ પ્રમાણેના પંચમહાપરમષ્ઠિ નમસ્કારમહાભ્યનેસૂચવનારાં, વર્ણને પૂજારી પાસેથી સાંભળી હર્ષ પામી મથુરા મહાનગરીની શેભા જોઈને, બંને મિત્રો આગળ ચાલ્યા. અને રાજસિંહકુમાર સુમતિને કહે છે હે મિત્ર! જે પ્રમાણે આપણે બંને મિત્રો, રસ્તામાં શિવકુમારનું, શ્રીમતીનું, બીજેરાનું, ચંડપિંગલનું, અને હુંડિક્યક્ષનું નમસ્કાર મહામંત્રના પ્રભાવને પ્રકાશનારું વર્ણન જોયું, તે જ પ્રમાણે હું પણ ગયા જન્મમાં, રાંકલેકેને અગ્રેસર, વનેચર, અસંસ્કારી, હિંસામય જીવન જીવનાર, ભિલ હતું. એક મહાઉપકારી, ચારે માસના ચઉવહાર ઉપવાસ કરીને રહેલા, મહામુનિરાજના સમાગમને પામ્યો, અને તે મહાપુરુષે આપેલા પંચપરમેષ્ઠિ મહામંત્રની શકય આરાધના કરીને, આવા અનુદનીય સ્થાનને પામે છું. ગયા જન્મની મારી ધણિયાણી ભિલ્લડી પણ, મારી પેઠે જ નમસ્કાર મહામંત્રના ધ્યાનમાં એકાગ્ર બની આરાધના કરતી હતી. તેથી મને સમજાય છે કે, તે ભિલ્લડી પણ, નમસ્કાર મહામંત્રના ધ્યાનથી મરીને, જાતિસ્મરણ પામેલી કુમારી રત્નવતી પિતે જ હેય, કારણ કે તેની ગયા જન્મના પતિને જ પરણવાની પ્રતિજ્ઞા પણ અક્ષેભ્ય છે. હજારે રાજકુમારોનાં કલાઓ ઐશ્વર્ય અને રૂપ આદિ ગુણેને પણ તિરસ્કાર્યા છે. આ જ કારણે, તેણીએ ગમે તે ફસાવી ન જાય માટે જ હવે કેઈપણ પુરુષને, મુલાકાત ન આપવા સખત અણગમે જાહેર કર્યો છે. અને તેના ચિત્તના ભાવની અજાણ જનતાએ તેને પુરુષàષિનું જાહેર કરી છે. કારણ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy