SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ પ૭ર પણ જેવી તેવી ગુનેગાર ગણાય નહી. વળી અત્યારે જે હું આવી માલદાર બની છું, તે પ્રતાપ ચંડપિંગલને જ છે, તેણે પોતાની જીંદગીભરની ચેરીઓનું, મોટાભાગનું ધન મને જ બક્ષીસ આપ્યું છે. મરણના ભયને પણ વિચાર કર્યા સીવાય, આ મહાકિંમતી હાર પણ તેણે મને બક્ષીસ આપે છે. આવા આવા તેના ઉપકારને, અલ્પાંશ પણ બદલે હું આપી શકી નથી, માટે હજી પણ હું તેને પરલેક સુધરાવું તે, અલ્પાશે પણ તેના ઉપકારને બદલે વળે, એવા વિચારો લાવીને, જ્યાં ચંડપિંગલને, ભૂલી ઉપર બેસાર્યો છે ત્યાં આવી, અને ઘણાકાળથી પિતાને, જેના સ્મરણ-શ્રવણ-ધ્યાન-જાપમાં અપ્રતિમ શ્રદ્ધા છે, એ પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર સંભળાવવા લાગી, અને નમસ્કારમહાભ્યની પરીક્ષા પામવા માટે, ચંડપિંગલને નિયાણું કરાવ્યું કે, “જમવરી , સુત ય મૂરિતિ” અર્થ–“આ નમસ્કારમહામંત્રના સ્મરણ અને ધ્યાનના પ્રભાવથી, હું આ નગરના રાજવીને પુત્ર થાઊ” તેણે મનમાં નિયાણું કર્યું. કલાવતીપતે રાજા અને નાગરિકેની કૃપાનું પાત્ર હેવાથી, છુટથી ચાર પાસે જઈ શકાયું અને નમસ્કાર ખૂબ જોર શોરથી સંળભાવી શકાયા. અને ભાવિભાવથી ચંડપિંગલ ચર પણ, નમસ્કાર સાંભળવાની ધૂનમાં તન્મય બનીને, મનુબનું આયુષ્ય બાંધવાપૂર્વક મરીને, તે જ રાજા જિતશત્રુની રાણી, ભદ્રાદેવીની કુક્ષિમાં પુત્ર પણે અવતર્યો. રાણ પણ આ દિવસે માં અનુસ્નાતા હતી. કલાવતીએ એ પણ ધ્યાન રાખ્યું હતું. અને પૂર્ણમાસે કુમારને જન્મ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy