SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૪ જતા—આવતા માણસોને તે ખાઈ જતા હતા. એક ભીલ્લરાજાએ તે સિંહને જીવતા પકડવા માટે, તે વનમાં એક જાળ ગાઢવી, સિંહ તેમાં ફસાઈ ગયા. એટલામાં એક ભાદ્રિક બ્રાહ્મણ, ત્યાં થઇને પસાર થયો. સિંહે તેને જોયા. સિંહે બ્રાહ્મણને વિનતિ કરી કે, ભાઈ ! મને આમાંથી છેડાવા. બ્રાહ્મણને દયા આવી અને પેાતાની પાસેના ચપ્પુથી દોરી કાપી નાખી, અને સિંહ છુટા થયા. એક તો સિંહ જેવું કુરપ્રાણી અને વળી તે ભૂખ્યા હતા, એટલે તેને ઉપકાર કે દયાના વિચાર આવે કયાંથી? સિંહ જેવા છુટા થયા કે તુરત જ કુદ્યો અને બ્રાહ્મણને ફાડીને ખાઇ ગયા. બસ, આ કુપાત્રના વિનયનું ફુલ સમજવું. ગુણીના વિનયનું દૃષ્ટાંત • એકવાર રાજા વિક્રમ ઘેાડા ઉપર ફરવા નીકળેલા હતા. ઘાડા ઉલ્લડ હાવાથી કાબૂમાં ન રહ્યો, અને વિક્રમ રાજાને એક મોટી અટવીમાં લઈ ગયા. ત્યાં તે ઘેાડા મરણ પામ્યા. રાજા આમ તેમ સ્થાન શેાધવા લાગ્યા. તેટલામાં એક ભીલ્લ ત્યાં આવી ચડ્યો. તે રાજાને પોતાના સ્થાન પર લઈ ગયેા. ત્યાં તેણે રાજાને ફલાહાર કરાવ્યેા. પછી અત્યંત સાંકડી એવી પેાતાની ગુફામાં રાજાને સુવાક્યો અને વલ્કલ–ઝાડની છાલનાં આઢણાં ઓઢાડ્યાં. આવા અતિથિસત્કારને લાભ મળવાથી પાતે ખૂબ જ આનંદ પામતા ખડ઼ાર ચાકી કરવા બેઠા. રાત્રીએ સખત ટાઢ પડવાથી ભીલ સરી ગયેા. સવાર થતાં સૈન્ય આવ્યું. આ બાજુ ભીલ્લના મરણથી રાજાને ઘણા શૈક થયા, પેાતાના સૈનિકાદ્વારા તેના અગ્નિ સંસ્કાર કરાવ્યા, અને રાજધાનીમાં આવ્યા, પરંતુ તેને દાનનુ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy