SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૯ છે. કેઈને ભય કે શરમ ન હોવાથી, પરિગ્રહ-કપડાં–કામળીપાત્રો-તરણ વગેરેની મૂછ પણ વધે છે, પ્રમાદથી પ્રમાર્જન વગેરે ન થાય એટલે, જિનાજ્ઞાના ભંગને દેષ પણ લાગે છે. સ્ત્રીસમાજનો પરિચય વધવાથી અને કેઈની રોકટોક ન હોવાથી, પતન પણ થાય. એકલાને લેક અનાદર કરે છે. એકલા સાધુને ખાવાપીવાને અવિવેક વધવાથી, રેગે વધે છે. એકલાને માંદગી આવે ત્યારે, વહેરવા ન જઈ શકે તેથી, પિતે સીદાય અથવા સાધુના આચાર સદાય, પડિલેહણાદિ-નિત્યક્રિયા ન થાય, વધેલા આહારને દુરૂપયોગ થાય. એકલા થયેલા માંદા સાધુની સેવા-ચાકરી કોણ કરે ? તેના વસ્ત્રાદિ કણ બેઈ આપે? તેના કલા–ઊલટી કેણ પરઠવે ? આવી પિતાની દુશ થતી જઈને તે નિસાસા નાખે, દુધ્ધન કરે, અનેકને ગાળો ભાંડે, માનું વિગેરે મેડા ઉપરથી પાડવી, જિનશાસનની અપભ્રાજના કરે, આવી રીતે તે દયામણું જીવન જીવી, સેવા અને ધર્મપ્રાપ્તિથી વંચિત થઈ મરીને દુર્ગતિમાં જાય. આવા એકલા સાધુઓ પ્રતિકમણ-પડિલેહણ વિગેરે ક્રિયાઓ વિધિસર, ટાઈમસર ન કરે, અથવા કરે જ નહી. જ્યારે માંદા થાય ત્યારે, સેવા-ચાકરી–દવા વિગેરે તેને ન મળે, એટલે તે સાજા થયા પછી પૈસા માગીને ભેગા કરે, અને દવા વિગેરે પરિગ્રહના ગંજ ખડકે. આવા અનેકાનેક દે, એકલવિહારી સાધુના જીવનમાં પ્રવેશે છે. અગીતાર્થ સાધુને લાગતા બધા જ દે એકલા સાધુને પણ લાગે છે. માટે જ્ઞાની પુરુએ, આરાધનાના ખપી મુનિને એકલા રહેવાને નિષેધ કરેલ છે. પ્ર–છટ્ઠ અઠ્ઠમ વિગેરે તપસ્યા કરવા માટે, અથવા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy