SearchBrowseAboutContactDonate
Page Preview
Page 349
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૦ મીક્તને વેડફી નાંખે કે ના કરી નાંખે, તેવા પુત્રને સત્તા આપવી, એ ભય કર જોખમ જ છે. તેમ નિશ્ચય-વ્યવહાર, ઉત્સર્ગ–અપવાદ અને વિધિ-નિષેધ વિગેરે બધા માર્ગો, પશુ, કેવલ આત્મગુણના ઉત્કર્ષ માટે જ છે. ‘જે આત્મા આત્મગુણના ઉત્કષ ને એટલે વૃદ્ધિને મજબૂત કરવા સારૂ, અથવા આત્મગુણુના ઉત્કષ ને વિન્નકરનારાં કારણેાને નિર્મૂલ કરવા સારૂ વખતે અપવાદ સેવે તે પણુ, તેને આરાધના જ થાય છે.' આમ યથાચેાષ્યસમજી શકનારને, ઉત્સર્ગ અને અપવાદ બંને સમજાવવામાં વાંધા નથી, જેમ કેાઈ પેટના વ્યાધિવાળા માણસને, દવા આપવાથી ફાયદો થઈ જતા હાય તેા, આપરેશન કરવું ગેરવ્યાજબી છે. તેમ ઉત્સર્ગ માર્ગથી જ, આત્મા ટકી શકતા હાય તેણે, અપવાદસેવવા ગેરવ્યાજબી છે. પરંતુ દવાથી ફાયદો થવાનો સંભવ જ ન હાય, તેણે ઓપરેશન કરાવવું પડે છે. આપરેશન ન કરાવે તે વખતે મરણને પણ ભય રહે છે. માટે ન છુટકે જેમ એપરેશન પણુ અનિવાય છે. તેમ ન છુટકે અપવાદ પણ અનિવાર્ય છે. G “મલ્હધમ્મ પુ, અવશોવિકૃત્તિઓ । न पूणो पावकज्जमि जिणधम्मंमि कत्थवि ॥ માટે ઉત્સગ --અપવાદનાં કારણેા સમજવાની તાકાતવાળા જીવાને અને વાતે સમજાવવી ચેાગ્ય છે. પરંતુ જેએમાં સમજવાની તાકાત ન હેાય, તેવાને તે સમજાવવી વ્યાજબી નથી. જેમ એક વૈદ્યરાજ પાસે એકસાથે એ તાવના રાગી આવ્યા. અન્નેને લગભગ ૧૦૫ ડીગ્રી તાવ હતા. વૈદ્યરાજ નાડીના સ ́પૂર્ણ જાણકાર હતા. એકજણને પરિશ્રમ ઘણા
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy