SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ રપર રામચંદ્રસૂરિને નાશ કરાવવા સુધીની અધમતા પણ અજમાવી લીધી. રાજા અજયપાલ રામચંદ્રસૂરિને બોલાવીને કહે છે કે, બાલચંદ્રજીને સૂરિપદ આપો, નહિતર આ ધખી રહેલી શીલા ઉપર સુઈ જાવ ! રામચંદ્રસૂરિ કહે છે કે, ગુરુવચન પાલવામાટે, મરણ થાય તે મને જરાપણ ભય નથી, પણ ગુરુવચનનો ભંગ કરીને સૂરિપદ નહિ આપું” રાજા અજયપાલના કહેવાથી રામચંદ્રસૂરિ મહારાજ ધગધગતી શીલા ઉપર અનશન કરીને સુઈ ગયા. પરંતુ ગુરુ દ્રોહી બાલચંદ્રને સૂરિપદ ન જ આપ્યું. બાલચંદ્ર પાછલથી મરીને વ્યંતર થયે. સંઘને હેરાન કરવા લાગ્યો. પિતાના આસુરી બલવડે, પિતાની બનાવેલી સ્નાતસ્યા થાયની આરાધના શ્રીસંઘ પાસે ચાલુ કરાવી. શ્રીસંઘે આવાં આક્રમણો સહન કર્યો, પરંતુ મહાપુરુને આપવા યોગ્ય સૂરિપદનું દાન કુપાત્રમાં કર્યું નહિ. જેમ શાસનના સુકાની ગુરુદેવ પરીક્ષાપૂર્વક પદવીદાન કરતા હતા. તે જ પ્રમાણે ભવના ભીરુ મહાનુભાવ શિષ્ય પણ સૂરિ વિગેરે પદવીઓ લેવા ખુશી પણ ન હતા. તેઓ સૂરિ પદની મહત્તા અને પિતાની શક્તિનું માપ વિચારતા હતા અને ગમે તેટલા સન્માને કે આગ્રહને પણ નમ્રતાપૂર્વક નિષેધ કરીને, પિતાથી કેટલું શક્ય છે? તેટલું જ લેઈને સાચવવાના ખપી થતા હતા. દાખલાતરીકે ૧૭ મી શતાબ્દિમાં આચાર્યદેવ- વિજ્યસિંહસૂરિમહારાજની પાટે, સત્યવિજય-પંન્યાસને સ્થાપવા, ગુરુપુપિનો અને શ્રીસંઘને વિચાર થયે. ખાનગીમાં ઘણીવાર પ્રયાસે ક્ય. ગુરુમહારાજ અને સાધુ તથા શ્રાવકસમુદાયના
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy