SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પિતાની લબ્ધિથી, નિર્દોષઆહાર મળે તે જ મારે ગ્રહણ કરે, અન્યથા તપોવૃદ્ધિ-ચોવિહાર ઉપવાસ કરવા.” આવી ઉત્કૃષ્ટદશામાં તે મહામુનિરાજને છ માસ વીતીગયા, પરંતુ દ્વારિકા જેવી ધનાઢય અને દાનસંપન્ન નગરીમાં આ મુનિરાજને શુદ્ધગોચરી મળી નહિ. શંકા- દ્વારિકાનગરીમાં લાખ જૈનેની વસ્તી હતી. બધા મહાશ્રદ્ધાળુ આત્મા હતા. મુનિરાજ પણ કૃષ્ણમહારાજના પુત્ર હતા. છતાં ગોચરી મળી નહિ તે કેમ માની શકાય? - સમાધાન–શ્રીવીતરાગના સાચા આરાધક મુનિરાજે પિતાની ઓળખાણ આપતા જ નથી. એટલે હું અમુકને પુત્ર હવે, અમુકને સગે થા છું, હું છઠ્ઠ-અડ્ડમાદિ તપસ્યા કરું છું, અમુક અભિગ્રહધારી છું, આવું કાંઈ પણ જણથતા નથી. અને દીનતા લાવ્યા સિવાય સાત્વિકભાવ ધારણકરીને યથાદેશકાળ મળેલા આહાર–પાણી, વસ્ત્ર–પાત્ર પામીને રાગ-દ્વેષ વિના જ ભગવે છે. જેમ દીક્ષિત બનેલા ઘન્નાજી અને શાલીભદ્રજી એકવાર ભગવાન મહાવીરદેવની સાથે રાજગૃહી નગરીમાં પધાર્યા અને પિતાની માતાને ઘેર વહેરવા ગયા. ત્યાં માતા અને પત્નીએાએ, તથા નોકર-ચાકર કે દાસ-દાસીઓએ તેમને ન ઓળખ્યા. એક ક્ષણવાર જ ઉભા રહીને પાછા ચાલ્યા ગયા, પરંતુ ઘરના કેઈ પણ મનુષ્યને પિતાની ઓળખાણ આપી નહિ, આડકતરી રીતે ઓળખાવાને ઉદ્યમ પણ ન કર્યો, પરંતુ બીજી જગ્યાએથી મળેલી ગેચરીથી પારાણું કર્યું અને ભગવાનની આજ્ઞા પામીને વૈભારપર્વતઉપર જઈને અનશન કરી સર્વાર્થસિદ્ધ ગયા.
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy