SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ જેમ દિવસ અને રાત્રિ બેમાં પહેલું કેણુ? પુરુષ અને અને નારી બેમાં પહેલું કે? આંબો અને ગેટલી બેમાં પહેલું કેણ? માતા અને પુત્રી-પિતા અને પુત્ર, બેમાં પહેલું કેણ? આ બધા પ્રશ્નો અણઉકેલ્યા જ રહ્યા છે. તેમ આ જગતમાં મોક્ષમાર્ગ ક્યારે શરુ થયે ? સૌ પ્રથમ ગુરુ કોણ હતા? સૌ પ્રથમ જિનેશ્વર કેણ થયા? સૌ પ્રથમ મેક્ષમાં કેણ ગયું? આ બધા પ્રશ્નો પણ ઉપરની માફક વચનથી અગોચર છે. છેલ્લા સર્વજ્ઞ કેણ થશે, છેલ્લા સિદ્ધ ભગવાન કોણ હશે? આ બાબત પણ ઉપરના જેવી જ અગોચર છે. માટે જ શ્રીજિનેશ્વરદેવેએ મોક્ષમાર્ગ અનાદિઅનંત બતાવે છે, મોક્ષની આદિ કે અંત હતે પણ નહિ અને હશે પણ નહિ, માટે જ પૂર્વના જ્ઞાનિમહાપુરુષોએ ફરમાવ્યું છે કે, __ "सिद्धाणं वुद्धाणं, पारगयाणं परंपरगयाणं; ઢોસા મુવાવાળ, નમો તથા દક્ષિદા ” અર્થ–સર્વ કર્મને ક્ષય કરીને કૃત્યકૃત્ય થયેલા, કેવળજ્ઞાન પામેલા, સંસારરૂપસમુદ્રના પારને પામેલા; પરંપરાથી મોક્ષ પામેલા (એટલે મેક્ષને પ્રવાહ અનંતકાળથી ચાલુ જ છે) ત્યારથી અત્યાર સુધી મેક્ષમાં ગયેલા અને લોકના અગ્રભાગ ઉપર જઈને સ્થિર થયેલા. એવા અનંતાનંત સિદ્ધભગવંતને મારે નમસ્કાર થાઓ. _ 'असो अणाइ कालो, अणाइ जीवो अणाइ धम्मो।' અર્થ-કાલ અનાદિ છે, જીવ અનાદિ છે. તેમ જૈનધર્મ પણ અનાદિ છે. આથી એમ નકકી થયું કે, જનધર્મ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy