SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૫ થાય છે. જેના પ્રતાપથી આત્માને સંસારનું પરિભ્રમણ બંધ થઈ જાય છે. અને જન્મ, જરા, અને મરણને અભાવ થાય છે. ૬ અરૂપીપણું–નામકર્મને સર્વથા ક્ષય થવાથી પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્મામાં ૫, રસ, ગંધ, સ્પર્શ અને શબ્દને સર્વકાલીન વિગ પ્રકટ થાય છે. - ૭ અગુરુલઘુગુણ-ગોત્રકમનો સર્વથા ક્ષય થવાથી સિદ્ધભગવંતના આત્મામાં પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માના હળવા-ભારે, નાના–મેટા, નીચ–ઉચ્ચ પર્યાયે બંધ થાય છે. એટલે મનુષ્ય, દેવ, પશુ, નારકી, હલકે, ઉંચે, નીચ, દુષ્ટ, અધમ વિગેરે નામે આત્માને અપાતા હતા, તે સર્વથા બંધ થઈ જાય છે. ૮ અનંતવીર્ય–અંતરાયકર્મને સર્વથા ક્ષય થવાથી સિદ્ધ ભગવંતેના આત્મામાં અનંત શક્તિ પ્રકટ થાય છે. જેના પ્રતાપે આત્માની અનંતકાળની દીનતા ચાલી જાય છે અને સચ્ચિદાનંદ દશા પ્રકટે છે. આ ઉપરાંત બીજા પણ વીતરાગતા વિગેરે સ્વભાવસિદ્ધ અનંતગુણે પ્રકટ થાય છે. શકા–સિદ્ધભગવાનનાં આઠે કર્મ ક્ષય થઈ ગયાં અને બધી ક્રિયાઓ નિવૃત્તિને પામી. તે પછી છેલ્લા શરીરમાંથી મોક્ષમાંલેકામાં શી રીતે જઈ શકે? | સમાધાન – પૂર્વ પ્રાગ, ગતપરિણામ, બંધન છેદ અને અસંગભાવ, આ ચાર કારણે આઠ કમથી છુટા થએલા સિદ્ધભગવંતે લેકાગ્રમાં રહેલ સિદ્ધ સ્થાનસ્થ મુક્તાત્માઓમાં ભળી જાય છે. જેમ ચાકડો, બાણ વિગેરે વસ્તુને પ્રથમ કેઈ પ્રયોગ
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy