SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જયા પરંતુ રાખમાં ઘી નાખવા જેવું નિવડ્યું. અને પછી તે કમઠ અને વસુધરા પણ મર્યાદા મુકીને લગભગ નિરંકુશપણે. વર્તવા લાગ્યાં. પરિસ્થિતિ ઘણી જ બગડી જવાથી મરભૂતિથી ખમાયું નહિ અને નિરુપાય થવાથી મહારાજા અરવિંદની પાસે જઈને ઉપરની તમામ બીના જણાવી. રાજાએ પણ કમઠને ખાનગી બેલાવી ઘણું સમજાવ્યું. કારણ કે ભૂતકાળના નરપતિઓ. આવા જ ન્યાયી હતા, પરંતુ પાપ એવી ભયંકર વસ્તુ છે. એ. પેઠા પછી નિકળવું અશક્ય છે. એટલે રાજાની વાત્સલ્ય ભરપૂર શીખામણ પણ અયમ કમઠને જરા પણ અસરકારક ન બની. રાજાને અનાચારો ઉપર સૂગ હેવાથી અને કમઠના અનાચારોએ સીમા ઉલ્લંઘી હોવાથી, છેવટે રાજાએ કમઠને પકડા અને શરીર ઉપર મસી ચેપડાવી. પછી તેને ગધેડા ઉપર બેસાડી ગામમાં ફેરવ્યો. અને છેલ્લે તેને દેશનિકાલ કર્યો. કમઠને પિતાને આવા પ્રકારને પરાભવ ઘણે જ ભયંકર જણાય. સ્વજન-પરિવાર, ઘરબાર, ધન-માલ અને મિક્ત વિના કયાં રહેવું. એમ વિચારી તે તાપસાશ્રમમાં જઈ અજ્ઞાનકષ્ટ કરનાર તપસ્વી છે, અને અનેક પ્રકારના તપ કરવાપૂર્વક વનમાં રહેવા લાગે. મસભૂતિને જેમ ભાઈના અનાચાર ઉપર અણગમે હતે. તેથી પણ અનેકગુણો મોટાભાઈને ગામમાં અપયશ ફેલાયે તે અને ભાઈની વિડંબના થઈ તે ખૂબ જ સાલવા લાગ્યાં. થોડા દિવસ પછી ભાઈની તાપસવૃત્તિના સમાચાર સંભળાયા એટલે ભાઈને મળવા, તથા શાંત્વન આપવા અને ક્ષમાપના
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy