SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ મુક્ત પણ થઈ શકે છે. પરંતુ એવા વિચાર જ આવતા નથી. આજ લગભગ દરેકને વિલાસના, ભેગના, ટેસ્ટના, તફાનના જ વિચાર આવ્યા કરે છે. એક પાપ હજારા પાપ કરાવે છે. પ્રથમ સહુ એકલા હેાય છે. એકલા જ રહ્યા હોત તે સારૂ હતું. કાઈ ઉપાધિ ન થાત. એકલાનું પેટ ભરવું જરા પણ. મુશ્કેલ ન હતું. એકલેા આત્માનું કલ્યાણ સહેલાઈથી સમજીને આચરી શકે પણ ભાઈને વિલાસ જ જોઈએ છે. દેવના ભવા થવા છતાં ભૂખ મટી નથી. પશુગતિમાં પાડા-આખલાના ભવા પામી, હજારા ભેસા–ગાયા ભેાગવી વાંદરા-હાથીના ભવા પામી, હજારા સ્વજાતિની સ્ત્રીએ ભાગવી પણ જીવ ખાપડા ભૂખ્યા જ રહ્યો. એટલે અહિં પણ ‘એકડાનો બગડા' થયા. પછી તા જોઈ લ્યેા મજા ? ચાર-પાંચ છેકરાં થયાં. (એ બધાને પોષવાનું પાપ વધ્યું. આખી જીંદગી પેાતાનું પરિવારનું પેષણ કરવામાં આ જીવનું સુધરવાની જગ્યાએ મગડ્યું.) અનંતા કાળનું કરજ દેવાનું મન જ ન થયું. જીંદગી બરબાદ ગઈ, ભવાની પરંપરા. વધી. પશુનાં અને નરકગતિનાં દુઃખા ભાગવવાની અને રાઈને સમય પસાર કરવાની અરઘટમાલા ચાલુ જ રહી. ઉપરની હકીકતથી સમજી શકાય છે કે, આપણા જીવને ગુÍદર વધારવાની અને દોષ કાઢવાની અનિવાર્ય જરુર છે. ગુણુ વધે તા દ્વેષ ઘટે. ગુણા લાવવાનું શીખવા અધ્યાપક એટલે માસ્તરની ખાસ જરુર ખરી. ગુણેાના અધ્યાપક પચમહાપરમેષ્ટિ ભગવતા જ હોઈ શકે છે. પંચમહાપરમેષ્ઠિ ભગવંતા તે ગુણારૂપી હીરા-માણક, મેતી, રત્ના વિગેરે ઝવેરાતના ઝવેરી છે. એમના આશ્રિત જીવા પણ અવેરાતરૂપ ગુણાને પામીને ઝવેરી બની જાય છે અર્થાત્ પંચપરમેષ્ઠિ ભગવાના
SR No.022938
Book TitlePanch Parmeshthi Namaskar Mahamantra Yane Jain Dharmnu Swarup
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherGandhi Chimanlal Nathalal & Chotalal Lallubhai Aankhad
Publication Year1964
Total Pages658
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy