SearchBrowseAboutContactDonate
Page Preview
Page 630
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ ઉત્તર-પ્રત્યુત્તરરૂપ યુદ્ધ કરવામાં પરિશ્રમ વધારે થાય છે. અને ફળ ઓછું મળે છે, એનાથી ઉલટી જ રીતે તે વિચારની જીદ્દી દશા તરકે મનનું પરાવર્તન કરવાથી વિચા રમાંથી તે ખરાબ આકૃતિ વિના પ્રયત્ને વિલય થઈ જાય છે. સારા વિચારો કરવાના અભ્યાસ રાખવાથી ખરામ વિચારા ન કરવાની દૃઢના કેળવાતી જાય છે અને સાચા વિચારાના સ્વીકાર કરવાનું આપણુ' સામર્થ્ય વધતું જાય છે. અસતૢ વિચારેને સદ્ વિચારા નીચે પ્રમાણે સ્થાપન કરવા. ધારો કે આપને કોઇ મનુષ્યના સ'ખ'ધમાં અપ્રિય વિચર આવ્યે તે તે ઠેકાણે સામા મનુષ્યમાં આપણા કરતાં જુદો જ કોઈ વિશિષ્ટ સદ્ગુણ હોય, અથવા તેણે કાંઈ સારૂ કાય કર્યુ હાય, તેના વિચાર કરવે. એથી અપ્રિયતા દૂર થશે. કદાચ આપણું મન ચિ'તાથી વ્યગ્ર રહેતુ હાય, તે તે ઠેકાણે તે ચિ'તા' મૂળ કારણ અને ચિ'તા કરવાથી જેને ગેરફાયદા થયા હાય તેવા મનુષ્યની સ્થિતિ આપણા મન આગળ સ્થાપન કરવી. અથવા આવી ચિંતાથી મુક્ત થયેલ મહાવીય વાન મહાત્માઓના વિચારા સ્થાપન કરવા. તે પ્રમાણે કરવાથી ચિંતામાં અવશ્ય ફેરફાર થશે અને કાંઈક શાન્તિ મળશે. કદાચ કોઈ પૌદ્ગલિક પદાથ ઉપર વધુ પડતા
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy