SearchBrowseAboutContactDonate
Page Preview
Page 563
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મિક સુખોની પરાકાષ્ટા તે મોહાદિના સંપૂર્ણ ક્ષયથી ઉત્પન્ન થનારા અવ્યાબાધ અને શાશ્વત સુખસ્વરૂપ મેક્ષમાં છે. એ મોક્ષસુખને પ્રાપ્ત થએલા મહાપુરૂષોના સુખને જોઈને હૃદયમાં આહ્લાદ થ; એટલું જ નહિ, પણ એ મોક્ષસુખના માર્ગે રહેલા મહામુનિવરથી માંડીને સમ્યગૂદષ્ટિ અને માર્ગાનુસારી પર્યંતના જીના ગુણેને અને સુખને દેખીને હર્ષિત થવું તે પણ પ્રભેદભાવનાને વિષય છે. એ હર્ષ પ્રગટાવવાનાં મુખ્ય સાધને મન, વચન અને કાયા છે. મનથી આદર, વચનથી પ્રશંસા અને કાયાથી વન્દન નમસ્કારાદિ કરવાથી પ્રમોદભાવના પ્રગટ થઈ શકે છે. ગુણી આત્માની સ્વ–પર ઉભયકૃત વન્દનાદિ પૂજા જઈને સર્વ ઈન્દ્રિયોથી અભિવ્યક્ત થતે હર્ષ જ્યારે સ્વભાવ સિદ્ધ બને ત્યારે પ્રમોદભાવના પરિપૂર્ણ થાય છે. परदोषोपेक्षणमुपेक्षा. દે બે પ્રકારના હોય છે, એક સાધ્ય અને બીજા અસાધ્ય. અસાધ્ય દેવાળા આત્માઓને દેખીને સ્વાભાવિક રીતે જ તેના પ્રત્યે મનુષ્યને રોષ પ્રગટે છે, તે વખતે ઉપેક્ષા (માધ્યશ્ય) ભાવના ખાસ હિતકર છે. ઉપેક્ષાભાવના કે મા, ધ્યચ્યભાવના કર્મની પ્રબળતા અને પરતંત્રતાને વિચાર કરાવે છે, અને તેથી આવેલે રેષ શમાવી દે છે. આ માધ્યચ્યભાવ જેમ અસાધ્ય દેલવાળા પ્રાણીઓ પ્રત્યે કેળવવાનું છે તેમ સુખ આપવા માટે સર્વથા . અસમર્થ એવાં વિષયનાં સુખો પ્રત્યે કેળવવાને છે. ચાર
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy