SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ જેમના દે દૂર થઈ ગયા છે, અને જે વસ્તુ સ્વરુપનું અવલોકન કરનારા છે, તેવા મુનિએના ગુણે વિષે જે પક્ષપાત તે પ્રમોદભાવના છે. દીન, પીડિત, ભયભીત, અને જીવિતને યાચતાં પ્રાણિઓનાં દીનતા વગેરે દૂર કરવાની બુદ્ધિ તે કરૂણુભાવના કહેવાય છે. નિઃશંકપણે કર કર્મો કરનારા, દેવ-ગુરુની નિન્દા કરનારા તથા આત્મપ્રશંસા કરનારા લોકો પ્રત્યે ઉપેક્ષા બુદ્ધિ તે માધ્યશ્ચ ભાવને કહેવાય છે. ધર્મનો પ્રાણ આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ એ તમામ ધર્મો નુષ્ઠાનને પ્રાણ છે. જે અનુષ્ઠાનના મૂળમાં મત્રી આદિ ભાવે ભળેલા છે, તે અનુષ્ઠાન શરૂઆતમાં ભલે ગમે તેટલું સામાન્ય હશે તે પણ ધીમે ધીમે વિકાસ ક્રમમાં જીવને આગળ વધારવામાં અવશ્ય નિમિત્તભૂત બને છે. મક્ષની સાથે જોડનાર તમામ ધર્મવ્યાપાર એ યોગ છે. પરંતુ રોગનું પ્રથમ સાધન અષભાવ છે. અદ્વેષ ભાવ આવ્યા વિના ગમાર્ગમાં, ધર્મમાર્ગમાં. કે મોક્ષમાર્ગમાં આગળ વધી શકાતું નથી. અદ્વેષ ભાવ આવ્યા પછી બીજાં બધાં સાધનો વહેલામાં વહેલી તકે આવી મળે છે ? જે આ અષભાવ ન આવે તો મોક્ષમાર્ગ અત્યંત દૂર રહે છે. આ અદ્વેષભાવની પ્રાપ્તિ મૈત્રી આદિ શુભ ભાવે વિના શક્ય નથી તેથી ધર્મમાગમાં પ્રવેશ કરવા માટે કે પ્રગતિ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy