SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ સ્વાધ્યાય-પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે છે. સ્વા ધ્યાયની હકીકત આગળ કહેવાઈ ગઈ છે. ૪ વિનય-ગુર્વાદિ વડીલને વિનય કરે તે. યુત્સર્ગ–સદે અને જતુ સહિત અન્ન-પાનાદિ અને કષાયનો ત્યાગ કરે. તે. ૬ ધ્યાન-શુભ ધ્યાન કરવું તે. એમ છ પ્રકારનું અત્યંતર તપ છે. સંયમી પુરૂષ બાહ્ય અને અભ્યતર તપ રૂપી પ્રજવલિત અગ્નિમાં દુઃખે કરીને દૂર કરી શકાય એવાં તીવ્ર કર્મોને પણ તત્કાલ નાશ કરી નાંખે છે. ૧૦ ધર્મસ્યાખ્યાત ભાવના કેવલજ્ઞાની જિનેશ્વર ભગવોએ ધર્મ સારી રીતે કહેલો છે, જેનું આલંબન લેનારે પ્રાણ ભવસાગરમાં ડૂબતા નથી, એમ વિચારવું તે ધર્મસ્વાખ્યાત ભાવના છે. સંયમ, (અહિંસા, સત્ય, શૌચ, (ચૌર્યત્યાગ) બ્રહ્મચર્ય, અકિંચનતા (અપરિગ્રહ), તપ, ક્ષમા, મૃદુતા-નમ્રતા, સમજુતા-સરળતા અને મુક્તિ એટલે નિભતા એમ ધર્મ દશ પ્રકાર છે. ધર્મના પ્રભાવથી કલ્પવૃક્ષાદિ પ્રાણને ઈચ્છિત આપે છે, અને અધમ આત્માને તે તે દષ્ટિગોચર પણ થતા નથી. સદા સમીપવતી, અદ્વિતીય બધુ સમાન અતિવત્સલ ધર્મજ અપાર દુઃખ સમુદ્રમાં પડતા પ્રાણીને બચાવે છે. પૃથ્વીને સમુદ્ર ડુબાવતે નથી અને મેઘ શાન્ત કરે છે, તે કેવળ
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy