SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૮ સાધુના પ્રભાવથી નિત્ય વેરવૃત્તિવાળાં પ્રાણીઓ પણ પરસ્પર સ્નેહભાવ ધારણ કરે છે. પ્રિય અને અપ્રિય એવા ચેતન અને અચેતન પદાર્થમાં જેનું મન મોહ પામતું નથી તે સમભાવને પ્રાપ્ત થયેલે છે. કેઈપિતાના હાથવતી ગોશીષ ચંદનનું વિલેપન કરે કે વાંસલાથી કાપે તે પણ બન્નેમાં સમાનવૃત્તિ હોય, ત્યારે સર્વોત્તમ સમભાવ હોય છે. કોઈ પ્રસન્ન થઈને સ્તુતિ કરે કે ગુસ્સે થઈને ગાળ દે તે પણ જેનું ચિત્ત તે બન્નેમાં સરખું છે, તે સમભાવમાં મગ્ન છે. પ્રયત્નથી કરેલા અને કલેશજનક રાગાદિની ઉપાસના શા માટે કરવી ? પરંતુ વગર પ્રયત્ન મળી શકે એવા સુખ આપનારા મનહર રામભાવને આશ્રય કરે એગ્ય છે. ખાવા ગ્ય, ચાટવા ગ્ય, સૂસવા , અને પીવા યોગ્ય પદાર્થોની વિમુખ ચિત્તવાળા રોગીઓ પણ સમભાવ રૂપ અમૃત વારંવાર પીવે છે આમાં કંઈ ગુપ્ત નથી, તેમ કઈ ગુરૂનું રહસ્ય નથી પરતુ અજ્ઞ રામને બુદ્ધિમાનોને માટે એક જ ભવ્યાધિને શમન કરનારું સમભાવ રૂ૫ ઔષધ છે. જેનાથી પાપીઓ પણ ક્ષણમાત્રમાં શાશ્વતપદ પામે છે તે આ સમતાને પરમ પ્રભાવ છે. જે સમભાવ પ્રાપ્ત થતાં રત્નત્રય સફળ થાય છે અને જેના વિના નિષ્ફળતા પામે છે, તે મહાપ્રભાવ યુક્ત સમભાવને નમસ્કાર કરું છું. આચાર્ય શ્રી ફરમાવે છે કે, હું સર્વ શાસ્ત્રના રહસ્યને જાણી પિકાર કરીને કહું છું કે, આલેક અને પરલોકમાં સમભાવથી
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy