SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ નિરોધ થતાં જ જ્ઞાતવરણીયાદિ અતિ પ્રબળ કર્મોને પણ સથા નિરોધ થઈ જાય છે, જેનું મન નિરાધ પામ્યું નથી તેનાં કર્મો ઉલટાં વધી જાય છે, માટે મુક્તિને ઇચ્છનારાએએ સર્વ જગતમાં ભટકતા આ મનરૂપી વાંદરાને પ્રયત્ન પૂર્ણાંક વશ કરવા જોઈએ: જ્ઞાની પુરૂષોએ એકલી મનની શુદ્ધિને જ માક્ષમાર્ગ બતાવનારી કદી ન ઓલવાય એવી દીવી કહેલી છે. જો મનની શુદ્ધિ હાય તે અવિદ્યમાન ગુણે પણ અસ્તિત્વમાં આવે છે. પર’તુ જો મનની શુદ્ધિ ન હોય તા વિદ્યમાન ગુણાને પણ અભાવ થાય છે માટે બુદ્ધિમાન પુરુષે મનશુદ્ધિ જ કરવી, જે લોકો મનની શુદ્ધિ કર્યો વિના મુક્તિ માટે તપ તપે છે, તે લેાકેા નાવને છોડીને એ હાથવડે મોટા સમુદ્રને તરવાની ઇચ્છા રાખે છે જેમ આંખા વિનાનાને દણુ નકામું છે, તેમ ઘેાડી પણ મનની શુદ્ધિ વિનાના તપસ્વીને ધ્યાન નકામું છે, માટે સિદ્ધિની ઇચ્છાવાળાએ મનની શુદ્ધિ અવશ્ય કરવી જોઈએ. રાગદ્વેષ જય. મનની શુદ્ધિ કરવા માટે રાગદ્વેષના જય કરવા, રાગદ્વેષ જીતવાથી આત્મા મલિનતા દૂર કરીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થાય છે. આત્મામાં લીન કરવા પ્રયત્ન કરતા ચેાગીઓના મનને પણ રાગ-દ્વેષ અને માહુ ચડી આવીને પરાધીન બનાવે છે. ગમે એટલું રક્ષણ કરવામાં આવે છતાં પિશાચના જેવા રાગાદિ થાડુ પણ પ્રમાદ રૂપ બહાનું મળતાં મનને વારવાર છેતરે છે. જેમ આંધળે! માણસ આંધળા માણસને ખાડામાં નાંખે છે,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy