SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮ . (૮) “તવચનસેવા. તેમનાં એટલે સદ્ગુરુનાં વચન એટલે આજ્ઞા તેની સેવા એટલે જીવનમાં તેને અમલ. સદ્દગુરુની આજ્ઞાનુસાર જીવનમાં વર્તન થવું, એ ઘણું જ દુષ્કર છતાં અત્યંત જરૂરી છે, સદ્ગુરુને સદ્ગુરુ તરીકે ઓળખ્યા પછી પણ તેમની આજ્ઞાનુસાર વર્તન થવામાં અનાદિ સંજ્ઞાઓ, ઉન્મત્ત ઈન્દ્રિયો અને અતિ ચપળ મન વચન કાયાના પેગો ઘણાં આડે આવે છે, તે બધાને જીતવા અતિ દુષ્કર છે. તે ન જીતાય અને સદ્ગુરુની આજ્ઞાનુસાર વર્તન ન થાય તે મોક્ષ મેળવવાનું કાર્ય અધૂરું જ રહે છે. વિદ્યને આશ્રય લેવામાં આવે, પણ વૈદ્યના કથ. નાનુસાર ઔષધ ગ્રહણ કરવામાં ન આવે, તે જેમ રોગ મટી શકતા નથી, તેમ સદ્ગુરુની સેવા મલ્યા પછી પણ, તેમના હિતોપદેશને અમલ કરવામાં ન આવે તે કર્મ રોગ ટળી શકે નહિં અને મોક્ષ મળી શકે નહિં. ભવનિર્વેદથી શરૂ કરીને ગુરુવચનની સેવા પર્વતની માંગણીઓ વીતરાગ પાસે સાચા ભાવથી કરવામાં આવે, તે તે ફલ્યા સિવાય રહેતી નથી. વીતરાગની પાસે એ પદાર્થોની માગણી કરવામાં વીતરાગનું બહુમાન પણ જળવાય છે, અને પ્રાર્થનાનું સાફલ્ય પણ થાય છે. ભવનિર્વે દાદિ વસ્તુઓની પ્રાપ્તિમાં જેમ સ્વપુરુષાર્થ આદિ કારણે રહેલાં છે તેમ વીતરાગની ગુણપ્રકર્ષતા અને અચિન્ય શ. ક્તિયુક્તતાદિ કારણે પણ રહેલાં છે. ગુણપ્રકર્ષ સ્વરૂપ બનેલાં
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy