SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૭ આંતર મન સાથે વિશેષ છે, તેથી અનુમંદનાનું બળ ઘણું છે. અનુમોદના નમસ્કારની પ્રાથમિક ભૂમિકા છે, જ્યારે સર્વ સમર્પણભાવ એ નમસ્કારની પરાકાષ્ઠા છે, પરંતુ એ બનેનું મૂળ “નમો’ પદમાં રહેલું છે. પંચપરમેષ્ટિઓની મહાવિદ્યુત પ્રવાહ તે વહી જ રહ્યો છે. આપણું આત્મામાં પ્રકાશ કરવા માટે “તમો” પદનું બટન ઉઘાડવું જોઈએ. પંચપરમેષિએનું મહત્ત્વ ઘણું છે, પરંતુ તેમન. મહત્ત્વને લાભ આપણને અપાવવાનું સામર્થ્ય “નમો’ પદમાં સમાયેલું છે, તેથી સાધકે માટે તે નમો પદનું વિશેષ મહત્ત્વ છે. ટુંકાણમાં આ “નમો પદ મેક્ષની કુંચી છે. જરિત' પદની વિચારણા. “રિત” એટલે હૈં. આ ત શબ્દ કઈ ધાતુ ઉપરથી બનેલું છે કે જે ચોગ્ય હવાને અર્થ દર્શાવે છે. એટલે જે મહાપુરુષ સુરાસુર નરેદ્રની પૂજાને ચગ્ય હોય તે મત કહેવાય. શ્રીભદ્રબાહુ સ્વામીજીએ આવશ્યક–નિર્યુક્તિમાં કહ્યું 'अरिहंति वंदण-नमसणाई, अरिहंति पूयसकारं ! सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥' ધ-૨૦
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy