SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૫ શ્રી જિનમતમાં જેમ સમ્યગ્દર્શનમાં જ્ઞાન અને ચારિત્ર, સમ્યજ્ઞાનમાં દન અને ચારિત્ર તથા સમ્યકૂચારિત્રમાં જ્ઞાન અને દર્શન મળેલાં છે, તેમ જ્ઞાનાધ્યયનમાં દેવદન અને સામાયિક, સામાયિકમાં જ્ઞાનાધ્યયન અને દેવદન તથા દેવનમાં જ્ઞાનાધ્યયન અને સામાયિક માનેલાં છે. એકને સ્વીકારીને બીજાને નિષેધ કરનારે એકને પણ શુદ્ધરીતિએ સ્વીકારી શકતા નથી. એકલા જ્ઞાનાધ્યયન કે એકલા સામાયિકને પકડી દેવદર્શનને છેડી દેનારાઓ સમ્યજ્ઞાની કે યથાર્થ ચારિત્રી બની શકતા નથી. જ્ઞાન જેમ અજ્ઞાનથી થનારા આશ્રવને રોકનાર છે અને ચારિત્ર જેમ અવિરતિથી તથા આશ્રવને અટકાવે છે, તેમ દેવભક્તિ પણ મિથ્યાત્વથી આવતા ઘેાર આશ્રવને અટકાવનારી છે. શ્રી જિનમતમાં અજ્ઞાન અને અવિરતિથી જેમ કર્મોના આશ્રવ અને અધ માનેલે છે, તેમ મિથ્યાત્વથી પણ કમને આશ્રવ અને અધ માનેલા છે. મિથ્યાત્વના આશ્રવને અટકાવવાનું અને બંધને બંધ કરવાનુ કાર્ય એકલા જ્ઞાન કે ચારિત્રથી થતુ નથી. કિન્તુ તે માટે દેવભક્તિની પણ પરમ આવશ્યકતા છે. ‘દેવદર્શીન’ એ દેવભક્તિનું પરમ પ્રધાન અ`ગ છે. એ વિના દેવને નમન-વદન-અર્ચન-પૂજન-યાનાદિ કાંઈ પણ થઈ શકતું નથી. એ કારણે દીર્ઘદશી જ્ઞાની મહિષ એ આબાલવૃદ્ધ સંને ઉપકારક દેવદનની પવિત્ર ક્રિયા નિતર કરવા માટે અત્યંત ભારપૂર્વક ઉપદેશ આપ્ચા છે. જેનાથી બીજું કાંઈપણ ન ખની શકતુ. હાય, તે પણ શ્રદ્ધાપૂર્ણાંક નિર'તર દેવદનની ક્રિયામાં રક્ત રહે અને ૫-૧૫
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy