SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ દેવદર્શન સંબંધી શંકા-સમાધાન શંકા–દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે. સમાધાન–દેવદર્શનની ક્રિયા નિષ્ફળ છે, એમ કહેવું ખોટું છે. દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે અને શુભભાવથી જ્ઞાનાવરણીયાદિ કર્મોને ક્ષય છે. ( શકા-દેવદર્શનથી પ્રત્યક્ષ શુભભાવ ઉત્પન્ન થાય છે, એ એકાન્ત નથી, કેટલાકને અશુભભાવ પણ ઉત્પન્ન થાય છે. સમાધાન–અશુભભાવ ઉત્પન્ન થવાનું કારણ તેમની અજ્ઞાનતા છે. જેઓ સમ્યગજ્ઞાન પૂર્વક દેવનું સ્વરૂપ સમજી ઉપયોગ અને વિધિપૂર્વક દેવદર્શન કરે છે, તેઓને અવશ્ય શુભભાવ ઉત્પન્ન થાય છે. શકા–આજકાલ વિધિપૂર્વક કઈ દર્શન કરતું નથી. જે દર્શન કરે છે, તેઓમાંના ઘણાખરા તે દેવનું સ્વરૂપ સમજતા નથી અને જેઓ ઘણું સમજે છે, તેઓ પણ ઉપયોગ વિના-રૂઢિ માત્રથી જેમ તેમ ક્રિયા કરી આવે છે. સમાધાન–વિધિપૂર્વક નહિ કરનારા વિધિપૂર્વક કરે, દેવનું સ્વરૂપ નહિ સમજનારા દેવનું સ્વરૂપ સમજે, તથા રૂઢિ માત્રથી કરનારા પણ સમજપૂર્વક કરતા થાય,
SR No.022930
Book TitleDharm Sadhna
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherUnknown
Publication Year1965
Total Pages656
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy