SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ લીધે, તે પછી ચારિત્ર તે પણ આત્મસ્વરૂપની રમણતા તથા સ્થિરતા રૂપ તે નહિ, પણ વેષ પહેરવાનેજ ચારિત્ર મનાયું છે. ચારિત્ર એ આત્માને ગુણ છે, જ્યારે અજ્ઞાની છો “ન હોય મુહપત્તી કે દાંડે, તે ચારિત્ર થાય ખાંડે.” મુહપતી, ઘા અને લુગડાંના જડ પદાર્થની પ્રવૃત્તિને ચારિત્ર માની બેઠા છે. કેટલાક કાર્ય કરે છે કે- બાહ્ય વેષને કવ્યચારિત્ર તો કહેવાય કે નહિ ?' તેના ઉત્તરમાં જણાવવાનું કે –ષને દ્રવ્યચારિત્ર કહેલ નથી, કેમકે શાસ્ત્રને સિદ્ધાંત છે કે દ્રવ્ય વિના ભાવ કદાપિ આવે જ નહિ. જે વેષાદિક બાહ્ય પ્રવૃત્તિનું નામ દ્રવ્ય ચારિત્ર હોય, તે વેષાદિક વિના ઘણા આત્માઓને ગૃહસ્થાશ્રમમાં કેવળજ્ઞાન તથા સિદ્ધદશાની પ્રાપ્તિ થઈ છે. પંદર ભેદે સિદ્ધના અધિકારમાં નિતિને સિદ્ધા'' એવો પાઠ છે. માટે વેષાદિક પ્રવૃત્તિ એ વ્યચારિત્ર નથી પણ દિવ્યાભાસ છે. દ્રવ્યચારિત્ર તે તેનેજ કહી શકાય કે-ભાવચારિત્ર (આત્મસ્વરૂપની રમણતા) જેનાથી ઉત્પન્ન થાય તે સાધનનું નામ દ્રવ્યચારિત્ર છે. તેવા દ્રવ્ય તથા ભાવચારિત્રનું પોતે યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના તથા દીક્ષા લેનારને તે સમજાવ્યા વિના સાધુ સાધ્વી જ્યાં હોય ત્યાં નિધણુંઆતે છોકરે વા વિધવાઓને સમજાવી, મોક્ષના સુખની લાલચ તથા ખાવાં પીવાં વિગેરેના સુખોની મેહની બતાવી મુંડી દે, તેનું નામ ચારિત્ર. પછી જ્ઞાન, દેહથી ભિન્ન આત્મસ્વરૂપની જાગ્રતી તેને જ્ઞાન સમજનાર તો વિરલા હશે, પણ શાસ્ત્રની ગાથાઓનેજ જ્ઞાન મનાઈ ગયું છે. “Twગુણનો સમવાચઃ ” ગુણ થકી ગુણી જુદો પડેજ નહિ. આત્મા-ગુણું અને ચૈતન્યરૂપ છે. જ્ઞાન–એ તેને ગુણ છે અને તે પણ ચૈતન્યજ હેય, આત્માથી જ્ઞાન ગુણ જુદો પડે જ નહિ, જેથી શાસ્ત્રીએ તે આત્માથી ભિન્ન દશ્ય અને જડ વસ્તુ છે. પુરૂષની નિશ્રામાં શાસ્ત્રબંધ તે અંતર ચૈતન્ય જ્ઞાન પ્રગટ થવાનું કારણ છે, તેથી કારણમાં કાર્યને ઉપચાર કરી ઔપચારિક નયથી શાસ્ત્રોનું જ્ઞાન કહ્યું છે. વસ્તુત્વે તો આત્મ સ્વરૂપની જાગ્રતી થવી તેને જ જ્ઞાન કહે છે. તેવા સ્વરૂપ જ્ઞાન તરફ લક્ષ્ય ન કરતાં પુસ્તકેની ગાથાઓ ગોખી મહેડે કરવામાં જ જ્ઞાન મનાઈ ગયું છે. અા પ્રાણીઓને ખબર નથી કે નવ પૂર્વ સુધી ભણતાં છતાં પણ તત્ત્વજ્ઞાનીઓએ અંતર સ્વરૂપની જાગ્રતી ન થઈ તે તેને અજ્ઞાન કહ્યું છે. તો પછી બે ચાર ગ્રંથ કે સૂત્રો ભણનાર જે ભણીને માનમાં આવે, વૃત્તિઓનેજ કરીનશકે, મમતા, તૃષ્ણદિક દેષોથી મુક્ત ન થાય તે તેનું નામ જ્ઞાન નહિ પણ અજ્ઞાન જ છે. આવી ગોખણપટ્ટીને જ્ઞાન માને છે અને પછી દર્શન–જે સંપ્રદાયમાં મુંડાણે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy