SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ યાની પ્રતિજ્ઞાને બ્રહ્મચર્ય માનનારને શસ્ત્રનું જરા પણ જ્ઞાન કે વિચાર જ ન આવે એ કેટલી ખેદની વાત છે? વળી કેટલાક પોપ સત્તાધીશ ધર્મગુરૂઓ પણ કાયાથી પ્રતિજ્ઞા લેવરાવવા પ્રેરણા કરી તેને ધર્મ માને છે. મન અને વચનના સંયમ વિના કાયાની અશકિત–એવા સાધનના અભાવે કે ગમે તે કારણે માત્ર કાયાથી જ પ્રતિજ્ઞા લેનાર બ્રહ્મચારી થતા હોય અને તેવા બ્રહ્મચારીઓનું કલ્યાણ થતું હોય તો તે ખાસ કરેલા બળદ તથા ઘેરાઓનું કલ્યાણ આવા બ્રહ્મચારીઓ કરતાં જલદી થવું જોઇએ. કારણ કે ઘોડા બળદને નાની વયમાં જ ખાંસી કરે છે, તેથી તે જન્મથી જ બ્રહ્મચારી હોય છે. તો આવા બાળ હ્મચારીઓનો મોક્ષ, વૃદ્ધ બ્રહ્મચારીઓ કરતાં પહેલાં થાય તેમાં આશ્ચર્ય નથી. અહા ! આવા પ્રહ્મચારીઓથી જ સમાજ તથા દેશનું અધઃપતન થાય છે. સંધ્યા તથા ય– • સમ્યક્ પ્રકારે આત્મા તથા પરમાત્માનું ધ્યાન કરવાની સત્રવૃત્તિને સંધ્યા કહે છે. તથા યજ પૂજાય એટલે પૂજા વા પવિત્ર જીવન ધારા કરવાની પ્રવૃત્તિને યા કહે છે જેને પ્રતિક્રમણમાં જેમ પ્રતિજ્ઞા લઈ તેનાથી વિરૂદ્ધ ભાવમાં વતે છે, તેમ વેદાંતીઓ પણ ઘણા ખરા તે હમેશાં સંધ્યાની પ્રતિજ્ઞા લઈ તેથી વિરુદ્ધ પ્રવૃત્તિનું આચરણ કરતા જણાય છે. પ્રથમ તે. સંધ્યાના મહાન સૂત્રો વા યંત્રોનો શબ્દાર્થ પણ લાખોમાં સેંકડોને આવડત હશે અને અર્થ સમજનારા સેંકડોમાં તે પ્રમાણે અને આચરણ કરનાર તે કોઈ વિરલા જ હશે. સંધ્યાના મિત્રો ઘણાં છે, તેનું વર્ણન કરતાં ગ્રંથ વધી જાય છે, જેથી દિશાસૂચક અર્થે એક મંત્રનું દિગ્દર્શન બતાવ્યું છે– - " ॐ तच्चक्षुर्देवहितं पुरस्ताच्छुक्रमुच्चरत् पश्येम शरदः शतं, जीवेम शरदः शतं, शृणुयाम शरदः शतं, प्रबधीम शरदः शतं, મનાશ્યામ શરઃ શd, મૂવાર: શતાત ફતિ. ” દેવસાંનિધ્યે અંતરચક્ષુના નિર્મળ જ્ઞાનથી પવિત્ર હૃદયમાં સંધ્યા કરતો ઉપાસક આત્મા, હદય વિશુદ્ધિ તથા કાર્ય લક્ષ્ય માટે અંતરમાં સંકલ્પ કરે છે કે–“હે દેવ ! સો વરસ સુધીનું દીર્ઘ કવન ધારણ કરી સબોધ શ્રવણ કરવામાં, સદ્દજ્ઞાનનું વર્ણન કરવામાં, આત્મદષ્ટિએ વિશ્વ જેવામાં અને તે પણ દિનપણે અમાત્રની પૃહા કે દીનતારહિત પવિત્ર જીવનની શત વર્ષ સુધી પ્રાપ્તિ રહો, કેવો અદ્દભૂત મંત્ર સમાયેલ છે. સંધ્યા–એ એક અંતરશુદ્ધિ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy