SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ સુધી તેમ ન થાય, ત્યાં સુધી ગમે તેવી કરણ એક માણસ કરતે હેય, કરણી શુભ યા અશુભ, બીજા શબ્દમાં પુન્ય અથવા પાપ, શાતા અગર અશાતા, શુભ આશ્રય અથવા અશુભ આશ્રયને પ્રાપ્ત કરાવશે, પણ સંવર કે નિર્જરી કરાવશે નહિ. જ્યારે આત્મા તથા જડને યથાર્થ અનુભવ સિદ્ધ થશે, ત્યારે તે કર્તા થતા આળસી જશે અને જે થાય છે, તે પૂર્વના સંસ્કાર આધારે થાય છે. તેમાં હું કાંઈ ફેરફાર કરી શકવા સમર્થ નથી કે મારું કાંઈ કર્તવ્ય પણ નથી. એટલે જે નિરૂપાયતા છે એમ માનશે. જેના પરિણામે કર્મબંધનું કારણ હું તથા મારાપણું આળસી જશે અને કાર્મણ પુદ્ગલને બંધ ન વધતાં ક્રમે ક્રમે તુટી જશે, જેના પરિણામે મેક્ષ પ્રાપ્ત થયો કહેવાશે. ઉપરનું લખાણ કોઈ પણ માણસને પુરૂષાર્થ હીન કરવા કે કોઈ માણસ પુરૂષાર્થ હીન થાય તેવા હેતુથી લખ્યું નથી કે લખવા કારણ નથી; તેમ આ લખાણથી કોઈ પણ શબ્સના પૂર્વ સંસ્કાર કરી જશે એમ હું માનતા નથી. લખ્યું છે તે સારા હેતુથી લખ્યું છે અને મને જે ખરેખરૂં લાગ્યું કે મારી માન્યતા પ્રમાણે જેને સિદ્ધાંતને અનુસરીને લખવા પ્રયાસ કર્યો છે. મનુષ્ય જાતિને એક એવી સાધારણ ટેવ છે અને જે સંસારમાં રઝળવાનું નિમિત્ત બને છે, તે એ છે કે અશુભ કર્મ ઉદય આવે છે, ત્યારે ઈશ્વરવાદી બનતાં સુધી ઈશ્વર ઉપર અને કર્મવાદી બનતાં સુધી કર્મ ઉપર ગુસ્સે થઈ સંકિલષ્ટ પરિણામ પામી યા તદ્દા બેલી અગર મનમાં વિચારી નવાં કર્મ બાંધે છે, અને કવચિત પૂર્વ કર્મને અગર ઈશ્વરને સેપે છે, પણ જ્યારે શુભ કમને ઉદય આવે છે, ત્યારે તે ચુસ્ત રીતે તેને ધણી થઈ જાય છે અને હું આ પ્રમાણે ભ, આ પ્રમાણે નોકરી મેળવી, આ પ્રમાણે વેપાર શીખે, આ પ્રમાણે ચતુરાઈ વાપરીને પૈસા પેદા કરૂ છું, મેં આવી રીતે છોકરાને ભણાવ્યો છે, આવી સ્ત્રી સાથે લગ્ન કરી આપ્યાં છે, બંદે કેવી યુક્તિ લગાડી? જો ન હતો તે ખબર પડત અને ફલાણું કામ કરી આવત તે હું જેત” વિગેરે અભિમાનના શબ્દ વાપરી ધણી થઈ પડે છે. વળી વખતે પુન્યાનુબંધી પુન્યના ઉદયથી ધર્મમાં જોડાય છે, તો-“હું આટલી વાર ભગવાનના દર્શન કરવા જાઉં છું, પૂજા કર્યા વિના ખાતે નથી, સામાયક વધારે થાય તે ભલે નહિ તે એક તે કરંજ, પ્રતિક્રમણ હંમેશાં સવાર સાંજે બે વખત કરૂં છું, આઠમ પાખી વિગેરે તિથિ પૌષધ કર્યા વિના ખાલી જવા દેતા નથી, આટલી લીલેરી તે ખપેજ નહિ.' વિગેરે કેમ જાણે પિતાના હાથમાં જ કરવાનું હોય, એવા અભિમાનના શબ્દ બેલે છે, કોઈ બોલે નહિ તે મનમાં મલકાતો હોય અને “કેમાં મારા વખાણ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy