SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૭ સૂર્ય ચંદ્રની ગતિ નિયમિત છે. ( ૨ ) ખીન્ન કરતા તારાની ગતિ પણ નિયમિત છે. (૭) જ્યોતિષ વિદ્યા એ પુદ્દગળની ક્રિયાનું એક ગણિત છે. શ્રીપાળ રાજાના રાસમાં અમુક રાજાને એક નિમિત્તીયાએ કહ્યું હતુ. કે— અમુક દિવસે અમુક વખતે શ્રીપાળ રાજા ચંપાના ઝાડની નીચે આવશે અને તેની સાથે તારી કન્યાનું પાણિગ્રહણ થશે. ’ નિમિત્તીયાએ કેવી રીતે કહ્યું ? જાતિષવિદ્યા (પુદ્દગલનું ગણિત ) તે જાણતા હતા. માટે તેજ પ્રમાણે વિચાર કરશું તેા જન્માતરી જન્માક્ષર વિગેરે મુકરર થઇ ગયેલ પુદ્ગલના ગભુિતના દાખલા શિવાય ખીજું કાંઇ નથી. જેને દાખલા બરાબર આવડતા હોય, તેને તે પ્રકારના દાખલા ખરા પડે. કેટલાક માણસેા વિદ્યાને જ્ઞાન સાથે ભેળવી નાખે છે. ખી. એ. એમ. એ.–એલ. એલ. ખી. ના અભ્યાસ વિદ્યા છે, વ્યવહારમાં પશુ વિદ્યાને જ્ઞાન સમજવામાં આવે છે, પશુ તેમ જણાતું નથી. જે ફાનાગ્રાફમાં રકાખી ઉપર કરેલ પ્રયાણ જો ધસાઇ જાય તા ગાયન પશુ સંભળાતું નથી, તેમ વિદ્યા એ મનના પરમાણુઓ ઉપર થયેલ ક્રિયા છે. જ્યાં સુધી મનમાંથી સદ ક્રિયા ભુંસાઇ ગયેલ નથી હોતી, ત્યાં સુધી તે વાત યાદ આવે છે અને તે બધી વિદ્યા છે, પણ જ્ઞાન નથી. જ્ઞાન તેા બધી મનની ક્રિયા જેતે જાય છે, તે છે. ભવિષ્ય વા ભૂત કહેવું, તેમાં ઉપયોગ જોઇએ, ઉપયાગ મનના છે. સિદ્ધ ભગવાનને મન હાઇ ભૂત અને ભવિષ્ય કાળનું વમાન કાળ જાણે એ બની શકે તેવુ' નથી. વમાન કાળમાં ભવિષ્ય કાળની વાત મન હોય તા તે જણાય; કેમકે મનના તે પ્રકારે ઉપયાગ થાય અને તે ઉપયોગ આત્માના જાણવામાં આવે; પરંતુ સિદ્ધ ભગવાનને મન ન હોઇ ભૂત તથા ભવિષ્ય કાળની વાત તેઓના જાણવામાં આનવી જોઇએ નહિ. ત્યારે સહુ` વાતનુ અસ્તિત્વ કેમ થયું ? દેવળી ભગવાનને એમ કહ્યું હાય કે, સિદ્ધ ભગવાન ત્રિકાળ જ્ઞાની છે અને તેના અર્થ કરનારે એવા અર્થે કર્યો કે ત્રણે કાળનું જ્ઞાન છે જેને ' પરંતુ તેના અર્થ એવા થવા જોઇએ કે, ‘ત્રણે કાળે જ્ઞાન વર્તે છે. જેને” વળી કેવળી કરતાં સિદ્ધના પર્યાંય ઉત્તમ છે અને કેવળી ત્રણે કાળની વાત કરે છે, માટે સિદ્ધ પણ ત્રણે કાળની વાત જાણુતા હાવા જોઇએ, એમ પણ માન્યતા થઇ હાય, ત્રિકાલ જ્ઞાનીના અર્થ ખીજી રીતે કરતાં જીવ દ્રવ્યનું સ્વરૂપ તુટી જાય છે અને ઘણા વિરાધા આવે છે. માટે આપ પણ વિચાર કરશેા અને મત દર્શાવવા મહેરબાની કરશેા. પ્રશ્ન ખીજો ખીજી બાબતની લોક માન્યતા પશુ ખાટી છે એમ સ્વતઃ સિદ્ધ છે. તે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy