SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ ર૭. રની વૃદ્ધિ થાય છે. નિષ્કામ કર્મ એજ મેશનું પરમ સાધન છે. જેથી તમે આપેલ દાનનું ફળ ભવિષ્યમાં બે ચાર કે પચીશ ભવે તમને ભલે મળે, તમારા આપેલ દાનથી ભવિષ્યમાં તમને ધનાઢયપણું કે રાજાપણું મળે તેની સાથે અને મારે સંબંધ નથી, વા તે ફળમાં અમે ભાગ લેવા ઈચ્છતા જ નથી. તમને ભવિષ્યમાં ફળ મળે કે ન મળે અથવા તરત મળે કે હજાર ભવ પછી મળે, તેને અહીં સંબંધ નથી. અહીં તે એટલું જ જણાવવાનું છે કે તમે સાધુ મહાત્માએની ભક્તિ કરી દાન પુન્યમાં હજારે વાપર્યા પહેલાં તમારા હૃદયમાં જે આશા તૃષ્ણા માયાદિ દેશો હતા, કષાય વિષયાદિનું જે બળ હતું, સ્ત્રી ધન કુટબ તથા દેહ પ્રત્યેને જે મેહ હતો, તે હજારેનું દાન કરતા તમારા હૃદયમાંથી ફીણ કેટલા થયા? મોહ મૂર્છા કેટલી ઓછી થઈ ? છળી પ્રપંચમાંથી કેટલા મુકત થયા ? અનીતિ અસત્યથી કેટલા બુટયા? દયા, શાંતિ, પાપકાર ઐક્યતા, નીતિ, સત્ય, ક્ષમ વિગેરે સદગુણોની કેટલી વૃદ્ધિ થઈ ? જે દેષ પ્રવૃત્તિને નાશ અને સદ્દગુણોની વૃદ્ધિ દાન આપ્યા પહેલાંના કરતાં દાન આપ્યા પછી ન થઈ હોય તે તમે કરેલ પ્રવૃત્તિ તે વાસ્તવિક સાચી નથી, પણ તેમાં કાંઈક ઝેર પડી ગયું છે. જેને શાસ્ત્રમાંથી કોઈ પણ વિદ્વાન સાધુ કે શ્રાવક એવું સિદ્ધ કરી આપશે કે–કુડ ક્યુટ, છળ પ્રપંચ, અનીતિ કે અસત્યના મહાપાપથી લાખો રૂ. કમાઈ હજાનું દાન કરી, દેરાસરે ચણાવી, ધર્મશાળા કે પાઠશાળા બંધાવી, ઉજમણા કે મહોત્સવ કરી, દેવ ગુરૂ ધર્મના નિમિતે કલેશ કુસંપ વધારી, વૈર વિરોધ બાંધી, કેટે હજારો રૂા. ખરચી, હજારેનું દાન કરી, અનીતિ વા અસત્યના પૈસાની કમાણીનું દાન કરી વા દેરાં ખડકી કોઈ પણ મેલે ગયે હેય, તે એક પણ દાખલે જેન શાસ્ત્રોમાં છેજ નહિ. માટે અત્યારે લાખો રૂા. નું દાન સમાજમાં જે વર્ષો વર્ષ થાય છે, છતાં સમાજની હરેક પ્રકારે પડતી થવાનું કારણ એ જ છે કે–અનીતિ તથા અસત્યના લાખો રૂા.મેળવી હજારનું દાન કરી ધર્મની ભ્રષ્ટતા થઈ ગઈ છે. સત્ય નીતિથી કમાયેલ પૈસાનું સત્પાત્રમાં નિષ્કામપણે અલ્પ પણ દાન કરવાથી જ આત્માની સિદ્ધિ છે, પણ અનીતિ અસત્ય અને સકામ ભાવનાએ લાખો રૂા. દાન કરનારને પરમાર્થ માર્ગનો એક અંશ પણ મળી શકે તેમ નથી, એ વાત નિર્વિવાદ સત્ય છે. શાસ્ત્રમાં અનીતિ અસત્ય તથા સકામપણુથી થતી ધર્મ કરણીને , આત્મઘાતી ક્રિયા કહી છે. આ લેક પરલેકની વાંછનાએ, ધન ધાન્ય સ્ત્રી કુટુંબ કે રાજ્યની ઈચ્છાએ, પૌગલિક સુખની ઇચ્છાએ, માન પૂજા મેળવવાની લાલસાએ ગરલે ક્રિયા તથા વિષ ક્રિયા (ગરલ વા ઝેરની માફક આત્માનો ઘાત કરનારી) કહી છે, જેથી પરમાર્થ માર્ગને ઘાત થાય છે અને સંસારની વૃદ્ધિ થાય છે.
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy