SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ ઢ એવા આત્મદૃષ્ટિ ધારક જ્ઞાની પુરૂષના આત્મબળના અતિશય યાગથી તે પાપાત્મા તેવું કૃત્ય કરવાને શક્તિમાન્ થઇ શકે જ નહિ, ભગવાન પત’જલિ કહે છે કે" अहिंसायां प्रतिष्ठायां तत्संनिधौ वैरत्यागः " જેના હૃદયમાં અહિંસાગુણુ આત્મદૃષ્ટિએ સંપૂર્ણપણે ( એટલવારૂપ કે કુલાચારરૂપ નહિ ) પ્રકાશી રહ્યો છે, તેના સમીપમાં વૈર–વિરાધના ત્યાગ થાય છે, જો આ વાત દેશભક્ત લાલા લજપતરાય સત્ય માનતા હોય, તેા ઉપલી વાત પશુ સત્ય માનવીજ પડશે કે જેના હૃદયમાં વિશુદ્ધ બ્રહ્મચર્ય ગુણુ ત્રિધા ચેાગની સ્થિરતાએ પ્રગટ થયા હાય, જેને આત્મા સમસ્ત જીવાત્મા પ્રત્યે આત્મદૃષ્ટિથી જોનાર થયા હ્રાય, જેના આત્મામાંથી સ`પૂર્ણપણે દેહાધ્યાસ તથા જગદ્ભાવના લય પામી હેાય તેવા મહાન યાગી મહાત્માઓની સમીપે કાઇ પણ વિષયાંધ માણુસ કાંઇની ઉપર અત્યાચાર કરી શકે નહિં. જૈનશાસ્ત્રમાં એક સ્થળે જણાવ્યું છે કે પરમહંસની પરાકાષ્ઠાએ પહેાંચેલ ( અપ્રમત્ત ધારી ઉત્કૃષ્ટ સાધુ ) મહાત્મા એક રાત્રિ જે મકાનમાં રહી જાય અને તેના ગયા પછી તે મકાનમાં કાઇ કામી સ્ત્રી-પુરૂષ સ કેત કરી અનાચાર કરવા આવે, તેા છ મહિના સુધી ત્યાં આવતાંજ તેમની વિકારવૃત્તિ મંદ પડી જાય—ઉપશમી જાય અને તે મકાનમાં તે મૃત્ય કરતાં પાધ્યેા હડી જાય. કહેા, એક રાત્રીના પરાક્ષ સગથી પણ વિકારીના વિકાર શાંત થવાનું છ માસ પર્યંત બને છે, ત્યારે તેજ મહાત્માની પ્રત્યક્ષ હાજરીમાં અત્યાચાર કરવાનું બને જ કેમ ? માટે મહાત્મા ગાંધીજીના સૂત્રને તથાં તેમના આચરણને જૈન શાસ્ત્રકાર સ ંપૂર્ણ સંમતિ આપે છે કે ‘ અત્યાચારને ધિક્કારવા કરતાં તેને આત્મદૃષ્ટિથી જોઈ તેના તરફ દયા કરવાથી તે અત્યાચાર કરતાં અટકી જશે. સાથે એટલું પણ જણાવું છું કે—આવા સત્યાગ્રહ જીવનનાં ધારક મહાત્મા ગાંધી પાતે પણ જણાવે છે કે— દરેક મનુષ્યાત્મા વા જીવાત્મા > આ સૂત્રને આધીન રહે તેવી દશા પામી શકે તે તે। આ સૃષ્ટિના આજ ક્ષણે માક્ષ છે. ' પણ દરેક જીવાત્મા તેવી દશા મેળવી શકે તેમ બનવું અશક્ય છે. જ્યારે દરેક જીવાત્મા પોતાના અપરાધી પ્રત્યે પણ કરૂણા કરવી એવી દશાને આધીન ન હોય તેણે તે અસ્ત્ર શસ્ત્રના બળથી દુરાત્માઓને હઠાવી દુઃખ કે દીનતાના બચાવ કરવાની જરૂર છે અને તેજ કરૂણાથી જે આત્મજ્ઞાની રાજાઓમાં સંપૂર્ણ આત્મદ્રષ્ટિના વિકાસ થયા ન હતા તેમણે અસ્ત્ર શસ્ત્રના યુદ્ધથી પાપીના પરાસ્કાર અને ધર્માં વા દીન દુ:ખીતા અચાવ કર્યાં છે. આ ઉપરથી વાચકવર્ગને સુગમતાથી સમજાય તેમ છે કે— અહિંસા પરમાધમ : ' એ સૂત્રને ખોલવાથી
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy