SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ એ. જેનધર્મના સિદ્ધાંત મુજબ ચોદ ગુણસ્થાનક કહ્યા છે. ચંદમે ગુણસ્થાનક સર્વકર્મરહિત અશરીરિભાવક્ષસ્વરૂપ કહ્યું છે, તેરમે ગુણસ્થાનકે સર્વ ઘાતિકર્મરહિત શરીરભાવ છતાં અશરીરિભાવ જેવીજ સર્વાપણાની સંપૂર્ણ શક્તિધારક કેવલી કહ્યા છે. છ૮ ગુણસ્થાનકે ધન ધાન્ય કુટુંબ પરિવાર વિગેરે બાહ્ય ઉપાધિજન્ય સાધનોથી મુક્ત થઈ, બાહ્ય ત્યાગી અને વિષય કષાયાદિ દોષથી મુક્ત થઈ અત્યંતરત્યાગી એવી સાધુ (પરમહંસ સંન્યાસી) ની દશા કહી છે. પાંચમે ગુણસ્થાનકે છઠ્ઠા ગુણસ્થાનક જેટલી બાહ્યાંતર બંને પ્રકારથી સંપૂર્ણ ત્યાગવૃત્તિ નથી, તથાપિ તે સંપૂર્ણ ત્યાગ વૃત્તિનું કારણ હોવાથી છેડે થડે બાહ્યાંતર ત્યાગમાં વૃદ્ધિગત દશાની સ્થિતિ કહી છે, આ ગુણસ્થાનકની દશાએ વર્તતા જીવાત્માને શ્રાવક કહેલ છે. સમ્યક શ્રદ્ધા અને સદ્દજ્ઞાન પૂર્વક જે સ&િયા કરે તેને શ્રાવક કહે છે. જેનામાં બાર વ્રતમાં પ્રથમ પ્રાણાતિપાત એટલે વિનાપરાધે ઈચ્છાથી વા કષાયથી જાણું જોઈને જગતમાંના કેઈપણ જીવાત્માને યત્કિંચિત પણ દુઃખ આપે નહિ, મારે નહિ. (ર)નું મૃષાવાદ-એટલે જેમાં પાંચ મેટાં જુઠ કહ્યાં છે. કેનાલીએકેઇના સગપણ વિવાહ સંબંધે હું બેલેનહિ, ગોવાલીએ – હેર વેચવાના સંબંધમાં જુઠું બોલે નહિ, ભૂમાલીએ– જમીન (ઘર ખેતર પાધર વિગેરે સ્થાવર મિલક્ત) વેચવા સંબંધમાં જુઠું બેલે નહિ, કુડ સખીજ–ઈપણ સાક્ષી આપવામાં જુઠું બેલે નહિ, નાસાવહારે– પાસ્કી થાપણ એલવવામાં જુઠું બોલે નહિ. તેમજ પિતાના સ્વાર્થને માટે તથા સગાં સંબંધીના સ્વાર્થને માટે પણ જુઠું બોલે નહિ. - (૩)નું અદત્તાદાન વિરમણવ્રત-એટલે રાજ ચોરી કરે નહિ તથા રાજા દંડ કરે તેવી કોઈપણ ચોરી કરે નહિ, માત-પિતાદિક કુટંબીને અરૂચિ થાય તેવી ચેરી કરે નહિ, ખોટા તેલ કે માપ રાખે નહિ, રાજાની આજ્ઞા વિરૂદ્ધ નહિ, સામાને ઓછું આપે નહિં, સામાપાસેથી અધિક લેનહિ, ચોરની ચોરી લાવેલ વસ્તુ વેચાતી વા મુફત લે નહિ, ચોરને હાય આપે નહિ, ચેરને ધીરે નહિ. | (૪) શું મૈથુન વિરમણવ્રત (શીયળવત) એટલે પિતાની પરિણીત સ્ત્રી શિવાય વિધવા, વેશ્યા, સધવા, તથા કુમારિકા વિગેરે કોઈપણ સ્ત્રી સાથે મન, વચન અને કાયાના ત્રણે વેગથી વિકારભાવે વર્તે નહિ. (૫) મું પરિગ્રહ પરિમાણ વ્રત-એટલે ધન, ધાન્ય, હીરા, માણેક, મોતી, જમીન, જાનવર વિગેરે પગલિક પદાર્થોમાં સતેષરાખે અર્થાત મમતા તષ્ણાથી આસક્ત થાય નહિ, મેહ મૂછ રાખે નહિ.
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy