SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાન, રાગ, દ્વેષ વિગેરે કમ શત્રુના નાશ કરનારને વીતરાગ કહે છે. અહા ! આવા અપૂર્વ ગુણપૂરિત, અપૂર્વ આહ્લાદદાયક નામને ધારણ કરનાર શ્રી વીતરાગ દેવને માનનારા, તેના ધર્મોનુયાયીપણાના દાવા કરનારા શ્વેતાંખરા તથા હિંગ ખરા તે વીતરાગના નામ તથા વીતરાગનીજ મૂર્ત્તિ (દેવ ) તે માટે ક્લેશ, કુસ`પ, દ્વેષ, ઇર્ષ્યાદિ દા વધારી, સમાજને અધમ રસ્તે ઉશ્કેરી કાર્ટોમાં ક્રેસે! લડી, દારૂ માંસના ભક્ષક વકીલો, બેરીસ્ટરો તથા અમલદારોમાં લાખા રૂા. નુ ં પાણી કરનારા ‘ અમે જૈનધર્મી છીએ ' એવુ ખેલતાં શરમાતા નહિ હાય ? તમે જૈન ધર્મી ? અરે ! તમારાથી લાખા અલ્કે કરાડા ગાઉ જૈન ધર્મ દૂર છે. ક્લેશ કુસ'પ, છળ પ્રપંચ, અસત્ય તથા અનીતિમાં જીવન ગાળનારા, સમાજમાં ક્લેશ કુસંપ વધારી સમાજને છિન્ન ભિન્ન કરનારા, જે વીતરાગની મૂર્તિ પરમ શાંતિ તથા પરમ કલ્યાણને માટે ઉત્તમ સાધન છે, તેજ મૂર્ત્તિ માટે ક્લેશ કરી લાખા કરાડા રૂા. તું દુર્ભાગે પાણી કરનારા, આ નામધારી જૈન ધર્મી ! તમારાથીજ કામ, સમાજ અને દેશની અધોગતિ થઇ છે, તમારા નિમિત્તે જ જૈન ધર્મશાસ્ત્ર ક્ષાત્ર તેજને નિર્મળ કરનાર છે. અને અસત્ય આરેાપ જૈન ધર્મ શાસ્ત્રને ખમવા પડે છે. પ્રભુની મૂર્તિ ધ્યાન અને પૂજન માટે હતી, તે કષાય અને ક્લેશ વૃદ્ધિને માટે થઇ પડી છે. તી શબ્દની વ્યુત્પત્તિજ કેટલી નિર્મળ અર્થસૂચક છે? • સીચંતે કૃતિ તીથૅક ’ જેનિમિત્ત તરવાનું સાધન થાય તેને તી કહે છે, જે તીર્થં તરવાના કારણભૂત હતુ, તે તીર્થના નિમિત્તેજ અનેક ઝગડાઓ વધારી તીર્થંકરના અનુયાયીપણાના દાવા કરનાર એજ તીર્થં તથા તીર્થંકરના માટે લડી આશાતના કરવામાંજ કેવુ' જીવન વ્યતીત કરે છે, તે સંપ્રદાયિક આવરણાથી અંધ બનેલાઓને ક્યાંથી ખબર પડે ? ( સવાર તથા સાંજની સંધ્યા વખતે હંમેશાં અબ્બે વખત અરિહંત ગુરૂ અને આત્માની સાખે પ્રતિક્રમણ કરતી વખતે ‘મિપિ મે અન્ય મૂત્યુ વેર માં ન દ ' આ વિશ્વના અન ત વાત્માઓ સાથે વૈર વિરાધના ત્યાગ કરી મૈત્રી ભાવનાની પ્રતિજ્ઞા લેનારાએજ જ્યારે અન્યાન્ય તીર્થ, ગુરૂ તથા ધર્મના નિમિત્તે ક્લેશ કંકાસને વધારી વૈર વિરોધ કરનારા અમે જૈન છીએ ' . એવું શું વિચારી કહેતા હશે? તમા જૈન વાહ! આવી અધમ પ્રવૃત્તિએ ચાલનારા, ાકરાના ચાળાની માફક માત્ર શુષ્ક ક્રિયાઓ કરનારા, પ્રભુ સાખે મૈત્રીભાવનાની પ્રતિજ્ઞા લઈ ફ્લેશ વધારનારાઓને જૈન કહેવા કરતાં જન ( રાક્ષસ ) કહેવા એજ વધારે ઉચિત ગણાશે. ચાર ગતિ
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy