SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ સત્યવત્ દુઃખ થવા લાગ્યું. આ વખતે પિતાને વ્યાકુળ અને ચિંતાતુર જોઈને તેણે ચિંતાનું કારણ પૂછ્યું એટલે શ્રષ્ટીએ કહ્યુ` કે— પુત્ર ! હું મરવા પડયા છું. આ જન્મની યાત્રા હવે અલ્પ સમયમાં સમાપ્ત થઇ જશે, માટે મરતાં મરતાં પણ જો તુ મારૂં એક વચન માન્ય કરે અને તે પ્રમાણેજ વવાની દઢ પ્રતિજ્ઞા લે, તા મારૂં હૃદય ચિંતા મુકત થઈ પરમાત્મસ્મરણથી સદ્ગતિને પામે. અંતિમ સમયની પિતાની માંદગી અને દ્રવિત હૃદય જોઇ પુત્રનુ પાપી અને કંઢાર મન ચાર પણ ક્ષશુભર પીગળી ગયું; પરંતુ દુષ્ટાચારના પાપી ભારથી તેનું હૃદય પિતાની આર્દ્ર વાણી સાંભળતાં પણ જોઇએ તેવું બેકાણું નિ નહિ, તથાપિ પિતૃ સ્નેહને લઇ તેણે કહ્યું — પિતાજી મારાં સતા માટે મને લજ્જા તથા ધિક્કાર આવે છે. તમારા વચનને માન્ય કરવું એ મારી ફરજ છે; પરંતુ મારાથી તે વ્યસનામાંથી એકના પશુ ત્યાગ થઈ શકે તેમ નથી. તે શિવાય આપ ક્રાઇ પશુ પ્રતિજ્ઞા લેવરાવવા ઇચ્છતા હૈ। તા આપના વચનને મસ્તકે ચડાવી જીવનપર્યંત હું તે પ્રતિજ્ઞા પ્રમાણે ચાલીશ 'પુત્રનાં આ વિનય યુકત વચના શ્રવણુ કરી તેણે કહ્યુ કે— તું જે દુર્વ્યસનમાં લપટાઈ ગયા છે, તે વ્યસનથી તું મુકત થઇ શકે નહિ, તેા તારા કમનશીબની વાત છે; તેને માટે તારી ઇચ્છા નથી તે। હું પણ બલાત્કારથી તને પ્રેરણા કરતા નથી; પણ મારી બીજી એક સૂચના એ છે કે તારે લાખા રૂા ની નુકશાની થાય, પ્રાણાંત સમય આવે, તા પણ કદાપિ અસત્ય ખેલવું નહિ, સત્ય ખેલવું. સત્યવ્રતની તુ` પ્રતિના લે તેા મને શાંતિ થશે ' પિતાના આ અંતિમ વચનને માન્ય કરી તેણે તે વખતે પિતા સમક્ષ સત્ય ખેલવાની દૃઢ પ્રતિજ્ઞા લીધી. જેથી શ્રેષ્ઠી શાંત થઈ મરણ પામ્યા. પિતાની ઉત્તર ક્રિયા કરી, પેાતાના દુષ્ટ મિત્રાને મળવા તે શ્રેષ્ટિપુત્ર દુર્વ્યસન સેવવાની ઇચ્છાથી તે મિત્ર મંડળ તરફ ચાલ્યા. રસ્તામાં ચાલતાં તેને વિચાર આવ્યો કે—હું નીચ કૃત્યા કરવા જાઉં છું, પણ મને કાઇ પુછશે ક્ર—‘તું કયાં જાય છે?’ ત્યારે મારે તા સાચું ખેલવુંજ પડશે આ વિચાર આવતાં પિતાની આપેલ દૃઢ પ્રતિજ્ઞા પાળવા માટે દૃઢ મનાબળ થવાથી પેાતાના દુષ્ટ મિત્રાના સંગને છેડી દઇ તથા દુર્ગ્યુસનાને સર્વથા તિલાંજલિ આપી ભૂતકાળમાં કરેલ કૃત્યોના પશ્ચાત્તાપ કરતા, પેતાના જીવનને અધામાગથી બચાવવા અને સન્માર્ગે ચડાવવાની પિતાની પવિત્ર યુક્તિને માટે તેને ધન્યવાદ આપતા સન્માર્ગે આવી તેણે પોતાના માનવ જીવનને સાર્થક કર્યુ. ” એક સત્યવ્રતના પ્રભાવથી પેાતાના અનેક દુગુણાને નાશ કરી, વિશુદ્ધ જીવન અને નિર્મળ ધર્મનાં આરાધક બની તેણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી. તારા,
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy