SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ ભૂલી જઇ કાઇ તેને સ્ત્રીરૂપે, પુરૂષપે, વણિક, વૈશ્ય, બ્રાહ્મણ, ક્ષત્રિય, હાથી, અશ્વ, પશુ, પક્ષી—એમ વિવિધ પ્રકારે જુદા જુદા રૂપે ઓળખ્યા; પણુ જ્યારે અનંત પુન્યાયે પૂર્વ સંસ્કારની જાગ્રતી થતાં તથા સત્પુરૂષને સમાગમ થતાં મિથ્યાત્વ, અજ્ઞાન અને મેાહાદિ આવરણ કર્મના, દેહાધ્યાસમુદ્ધિ તથા જગદાકાર વૃત્તિ રૂપ કાળાશનો નાશ થતા દેહ ભિન્ન, વિશ્વજ્ઞાતા એવે સચ્ચિદાનંદ સ્વરૂપી શુદ્ધ આત્માના અનુભવ થાય અર્થાત, હું સ્ત્રી છું, પુરૂષ છુ, બ્રાહ્મણ છુ” એ વિગેરેની માયા જન્ય ભાવનાએ લય થઇ ‘ હું શુદ્ધ સનાતન પરમાત્મા છું' એમ પેાતાને અનુભવ થાય, તેને તત્ત્વજ્ઞાન કહે છે. આત્મજ્ઞાન અવિનાશી અને સત્ય વસ્તુ છે. તેથીજ વેદાંત કહે છે કે ‘ ત્રા સત્યં નામિથ્યા । બ્રહ્મ ( ચૈતન્ય જ્ઞાન ) તેજ સત્ય છે અને તે સિવાય સમસ્ત વિશ્વ ચૈતન્યહીનવિનાશી ક્ષણિક છે માટે મિથ્યા છે. વાદળનું આવરણ લય પામ્યા વિના સૂના તેજસ્વી પ્રકાશ પૃથ્વી તટ ઉપર પ્રસરતા નથી, તેમ મિથ્યાત્વ, માહ અને અજ્ઞાન-એ ત્રણ દોષ રૂપ આવરણના લય થયા વિના આત્મજ્ઞાનપ્રકાશને પણ આવિર્ભાવ થતા નથી. પાંચ મિથ્યાત્વ ( ( ૧ ) અભિ»હિક મિથ્યાત્ત્વ એટલે મતાગ્રહ, ગચ્છાગ્રહ, કુલાગ્રહ અને લેાકાગ્રહ. (૨ ) અભિહિક મિથ્યાત્ત્વ એટલે સમજ્યા વિના બધું સરખુ` માનવુ" ( ૩ અભિનિવેશિક મિથ્યાત્ત્વ એટલે તત્ત્વ રહસ્ય સમજ્યા વિના તથા આત્માનુભવ થયા વિના શાસ્ત્રોનુ શબ્દ માત્રથી શ્રવણ વા વાંચન કરી તેને આગ્રહ રાખવા તેમજ પરમાર્થ તરફ લક્ષ્ય ન આપતાં લોક સંજ્ઞા, લાક ભય અને લેાક લા થી સન્માર્ગ તરફ વિમુખ રહેવું. ( ૪ ) સશયિક મિથ્યાત્ત્વ એટલે શ‘કાશીલ રહેવું. ( ૫ ) અણુાભાગિક મિથ્યાત્ત્વ એટલે ધર્મ તરફનુ લક્ષ્યજ નિહ. આ પાંચ મિથ્યાત્ત્વ, ક્રોધ, માન, માયા વિગેરે સોળ કષાય, નવ નાકષાય, ત્રણ માહતી એ અઠ્ઠાવીશ દોષ પૂર્વક માહ તથા પાંચ અજ્ઞાન—એ પ્રકારે મિથ્યાત્વ, મેાહ અને અજ્ઞાન એ ત્રણ મહાદોષ કહ્યા છે, તેના નાશ થવાથી વા ઉપશમ થવાથી આત્માની શુદ્ધિ થઈ અનુભવ જ્ઞાન પ્રગટ થાય છે. આ ત્રણ દોષોનું વર્ણન દ્રવ્યાનુયાગ વિચાર-એ લેખમાં વિશેષતાથી નિરૂપણ કર્યું છે, જેથી અહીં તેનું ટુંકમાંજ ખ્યાન આપ્યુ છે. હવે આપણને વિચારવાનુ એજ છે કે સ્થૂલ દેહના આકારમાં મનુષ્યત્વની મહત્તા નથી, પણ આગળ જણાવ્યા પ્રમાણે સત્સંસ્કાર, વિદ્યાભ્યાસ, નૈતિક જીવન, ભ્રાતૃભાવ અને પરોપકાર-એ પાંચ વ્યાવહારિક ગુણા તથા મુમુક્ષુતા, વૈરાગ્ય, શ્રદ્ધા, ભક્તિ અને તત્ત્વ રમશુતા “એ પાંચ પારમાર્થિક ગુણી પૂર્વક જે ધર્મ ત્ત્વ જેના હૃદયમાં પ્રકાશી રહ્યું
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy