SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ પ્રકાર (કીર્ત્તિદાન, ઉચિતદાન, અનુકંપાદાન, અભયદાન અને સુપાત્રદાન) માંના પ્રથમ ભેદ જે કીત્તિદાન છે, તે બાકીના ચાર ભેદમાં આવી શકે છે. અર્થાત અનીતિ અને અસત્યના માર્ગે મેળવેલ દ્રવ્ય હાય, અને લેાક ( માન, પૂજા પ્રભાવનાથે સારૂં દેખાડવા ), પરલાક ( રાજ્યઋદ્ધિ દેવમુખ વિગેરે ) તે અર્થે સકામપણે ચારમાંના કોઇપણ દાનની પ્રવૃત્તિ થાય, તેમાં કીર્ત્તિાનનીજ મુખ્યતા રહે છે. અને કાર્ત્તિદાનની મુખ્યતા રહેવાથી તેનુ કળ પારમાર્થિક નહિ, પણ સસારની જ વૃદ્ધિ થાય છે. ઉચિતદાન અને અનુકપાદાન પરમા માર્ગના સાધનભૂત થાય છે. અર્થાત્ પુન્ય ઉત્પન્ન કરનાર થાય છે. અભયદાન તથા સુપાત્રદાન પરમા માર્ગની વૃદ્ધિ કરનાર થાય છે, જેમ અધકારમાંથી પ્રકાશની ઉત્પત્તિ નથી, અગ્નિમાંથી શીતલતાની ઉત્પત્તિ નથી, ઝેરમાંથી અમૃતની ઉત્પત્તિ નથી તથા સત્યમાંથી અસત્યની ઉત્પત્તિ નથી, તેમ છળ પ્રપંચાના પાશથી ખીજા જીવાને છેતરી, કુડ કપટથી ખીન્ન આત્માને દુ:ખ આપી અસત્ય કે અનીતિથી મેળવેલ ધન અને તે પાછું લાક તથા પરાકના સુખની વાંછનાએ ( સકામભાવે ) તેવા ધનને ચાહું તે છેાકરાના લગ્ન કરવામાં ખચ કરે વા તીર્થંકરના મહાત્સવ નિમિત્તે ખર્ચે, નાત જમાડવામાં ખરચ કરે વા નાકારશી કે સ્વામિવાત્સલ નિમિત્તે ખરચે, ઘર ચણાવવામાં ખર્ચ કરે વા દેરાસર કે ધર્મશાળા નિમિત્તે ખરચે, એક ભીખારીને દાન આપે વા ખુદ તીર્થંકર ભગવાનને દાન આપે, નાટક જોવામાં ખરચ કરે વા કાઇ તીર્થના સંધ કહાડવા નિમિત્તે ખર્ચે, એક જીવને છેડાવે વા હજારા જીવાને છેડાવે; પણ ઉપરાત કહ્યા પ્રમાણે પાપના ત્યાથી મેળવેલ દ્રવ્યના સકામપણે વ્યય કરે, તેા તેનું નામ અભયદાન કે સુપાત્રદાન તેા નથી; પરંતુ અનુકળ્યા કે ચિતદાન પણ ન કહેવાય. માત્ર કીર્ત્તિદાન જ કહી શકાય. અને તે દાનનું ફળ લેાકેા વાહ વાહ કરે, તેટલુજ માત્ર મળે તેા ભલે, બાકી તેવા દાનથી પરમા માર્ગની પ્રાપ્તિ થતી નથી, માત્ર સંસારપરિભ્રમણની વૃદ્ધિ થાય છે. કીર્ત્તિદાન—અનીતિ કે અસત્યના માર્ગે મેળવેલ દ્રવ્યને ગમે ત્યાં સારા વા ખાટા કાર્યોમાં વ્યય કરવા તથા હલાક કે પરલોકના સુખની ઈચ્છાએ ખરચ કરવેશ. ઉચિતદાન—સત્ય કે નીતિના માર્ગ ઉપાર્જન કરેલ દ્રવ્યને ઉચિત માગે ખરચવુ. અર્થાત્ પોતાની મૂડીના અમુક ભાગ કુટુંબના સુખને માટે
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy