SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ જણાતી નથી. કર્મ જ છે, અજ્ઞાવે છે, આમા ચેતન્યરૂપ જ્ઞાનમય છે, તેથી આત્માને કર્મ બંધ્ર લાગે તે સંભવતું નથી. . ... .. . સમાધાન –-વેદનાં વચન ત્રણ પ્રકારનાં છે–કેટલાંક વિધિને પ્રતિપાદન કરનારી છે, જેમકે “સ્વર્ગના ઈચછકે અગ્નિહોત્રાદિ ધર્મક્રિયા કરવી કેટલાંક અનુવાદ જણાવનારાં છે, જેમકે “બાર માસને એક સંવત્સર થાય,” અને કેટલાંક સ્તુતિને જણાવનારાં છે, જેમકે “આ પુરૂષ મહાન છે” ઇત્યાદિ, હવે પ્રથમ જે બતાવ્યું કે પુરૂષ મરીને પુરૂષ જ થાય, તે પુરૂષો મહિમા બતાવવાને કહ્યું છે. કેટલાક મંદષાયી, સરલપરિણામી, પવિત્રાચરણ છો સત્કર્મના પ્રભાવથી પુરૂષ જન્મથી મુક્ત થઈ (મરણ પામી) ફરીને પણ પાંચ સાત ભવ સુધી પુરૂષ થાય છે, પણ તેથી કર્મના નિષેધા કહેવાનો હેતુ નથી. જેમ વિપુ” એ થી પરમાત્માનું માહાસ્ય બતાવ્યું છે, પણ તેથી જળ, સ્થળ વિગેરે વસ્તુઓને અભાવ થતો નથી. વેદાંત, પરમાત્માને સર્વ સ્થળે વ્યાપક માને છે, પણ જેન પરમામાને જ્ઞાપક માને છે, જેથી પરમાત્મા સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યો છે એટલે જાણી રહ્યો છે, તેથી અન્ય પદાર્થોને અભાવ થતો નથી. ઘરમાં દીપકનો પ્રકાશ સર્વ સ્થળે વ્યાપી રહેતાં પણ અન્ય વસ્તુઓની હયાતી ટકી શકે છે, તેમ પરમાત્માને જ્ઞાન પ્રકાશ સમસ્ત વિશ્વમાં વ્યાપી રહેતાં પણ અન્ય પદાર્થોને લય થતા નથી. બીજી શંકા જે અમૂર્ત આત્માને મૂર્તિમાન કર્મને સંબંધ કેમ ઘટે? તે પણ અયુક્ત છે. બુદ્ધિ અત્ત છે, તથાપિ મઘ વિગેરેના પાનથી બુદ્ધિ જડતાને પામે છે અને બાહ્યી વિગેરે ઔષધિના સેવનથી બુદ્ધિ વિકસિત થાય છે, તેમ આવરણ દોષને લઈ કર્મનો સંગ હોય છે અને આવરણ દેષને લય થવાથી કર્મને વિનાશ થાય છે. માટે કર્મનું કર્તાપણું સિદ્ધ થાય છે. કોઈ પણ કાર્યના ઉપાદાન કારણ તથા નિમિત્ત કારણ એમ બે કર્તા હોય છે, ઘટને ઉપાદાન કર્તા માટી અને નિમિત્ત કર્તા કુંભારાદિ છે, તેમ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, જીવાસ્તિકાય તથા કાલ–એ છએ દ્રવ્ય જેકે પોતે પિતાનીજ ક્રિયાના કર્તા છે. પણ એક બીજા દ્રવ્યના નિમિત્ત વિના પિતાની ક્રિયા કઈ કરી શકતું નથી. માટે કર્મને ઉપાદાન કર્તા રાગ, દ્વેષ અને અજ્ઞાન છે અને નિમિત્ત કર્તા આત્મા છે. દરેક દ્રવ્યમાં નિમિત્ત નૈમિત્તિક ભાવ રહ્યો છે. પાણીમાં તારવાનો ધર્મ છે અને માછલામાં તરવાને ધર્મ છે. માલાને રે. તીમાં મૂકવાથી તે તરવાની ક્રિયા કરી શકતું નથી, તેમજ પાણીમાં લે મૂકવાથી તારવાની ક્રિયા પાણી કરી શકતું નથી. તરનાર અને તારનાર બંનેનું
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy