SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨૭ આત્માનુ ભાકતાપણું છે અને મન જેમ હિવમાં કર્મના બધ કરી તેના કર્તા બને છે, તેમ તે મધ જ્યારે ઉયમાં આવે તેને ભેગવવાથી કર્મના ભાતા પણ બને છે. શુભાશુભ ઉદયને સમપરિણામે ભાગવવાની જે નિર્લેપ દશા તેજ આત્માનુ ભાક્તાપણ છે. આત્માનુભવ થયા પછી .વિશુદ્ધ ભાવનાએની વિશેષ જાગ્રતી થતાં આત્મા પોતાના સ્વભાવના જ્ઞાતા બનવાની સાથે દૃષ્ટા પંથો સહજ શુદ્ધતા થવાથી ચારિત્રભાવ આવે છે, અર્થાત્ નિવિ કહંપદાની વૃદ્ધિ થતાં વૃત્તિ વિરામ પામવાથી આત્મસ્થિરતારૂપ ચારિત્રની પ્રાપ્તિ થાય છે. ભાકતાપદની લબ્ધિ થતાં ચારિત્રગુણ પાંચમા ગુણસ્થાનથી પ્રગટ થાય છે. માટે ભાતાપદનો જ્યાં લબ્ધિ થાય ત્યાં ચારિત્રણની પ્રાપ્તિ થાય છે. ૫ પદ માણ છે. 39 ' નો વિમુકિ મોન્નઃ ” કર્મથી સર્વથા મૂકાવું તેને મેક્ષ કહે છે. બહિરામભાવને લઇ જેમ કર્મના બંધ છે, તેમ આત્મભાવ થવાથી કમની નિવૃત્તિ પણ થાય છે. મનની ઇંદ્રિયવિષયાસક્તપણે પ્રવૃત્તિ થવાથી બંધ થાય છે. અને વિષયથી નિવૃત્ત થઈ આત્મભાવમાં લીન બનવાથી મેક્ષ થાય છે. કર્મ શું ? તેના બંધ કેમ થાય છે ? કર્મના આત્માને ખધ કેવા છે ? અને તેની નિવૃત્તિ કેમ થાય ? તેનું અંતરંગ લબ્ધિ થઇ યથાર્થ જ્ઞાન થાય ત્યારે કને અમ ધકભાવે ક્ષય કરવારૂપ ક્ષેપકશ્રેણી આઠમે ગુણસ્થાનકે પ્રાપ્ત થાય છે, જેથી મેાક્ષ છે-એ પદની યથાર્થ લબ્ધિ થતાં આઠમા ગુણુસ્થાનકની પ્રાપ્તિ થાય છે. ૬ પદ મેાક્ષના ઉપાય છે. કારણ વિના કાર્યની પ્રાપ્તિ કદાપિ થતી જ નથી. જેથી મેાક્ષ કાર્ય હાય તા મેાક્ષ થવાનાં કારણા પણ હાવાંજ જોઇએ. માટેજ જ્ઞાનીઓએ કહ્યું છે કેઆત્મા ઉત્કૃષ્ટ ભાવની પ્રાપ્તિ કરી આત્મભાવમાં રમણ કરે તે અવશ્ય તેને માક્ષેાપાયની પ્રાપ્તિ થાય છે. સર્વે કર્માંથી વા ચાર ધાતી કથી સવ થા જે. ારણથી મુક્ત થવાય અર્થાત્ કૈવલજ્ઞાન. વા સિદ્ધદ્દાની જે કારણથી પ્રાપ્તિ થાય તેને મેક્ષના ઉપાય કહે છે. મેાક્ષ એટલે શુ ? અને તેના ઉપાય શું . તેની યથા લબ્ધિ થવાથી જ મેાક્ષ વા કેવલજ્ઞાન થાય છે. માટે મેાક્ષ ઉપાયના પદની લબ્ધિ ૧૦ મા ગુણસ્થાનકથી શરૂ થઈ ૧૨ મે સંપૂર્ણ થાય છે. આ પ્રમાણે આત્મા છે, નિત્ય છે, નિજકર્મના કર્તા છે, ભોક્તા છે, મેક્ષ છે અને મેાક્ષના ઉપાય એ છ પદની સામાન્ય બુદ્ધિથી વ્યાખ્યા સમાસ કરી છે. ૧૮
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy