SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ છે, તેમ આયુ કર્મની સિવાય સાતે કર્મની સ્થિતિ એક્રોડા ક્રોડીની સરખી રહે તેને યથા પ્રવૃત્તિકરણ કહે છે. આ પ્રકારે કાઈ પુન્યના ઉદયે આટલી સ્થિતિ કર્મની મદદ કરી. આત્મા કર્મભારથી હલકે થાય તેવામાં સુગુરૂને વેગ બને તેને ઓળખી તેની ઉપર શ્રદ્ધા રાખી, માત્ર કલ્યાણ કરવાનું લક્ષ્ય રાખી ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરે, ત્યારે તે જીવ મિથ્યાત્વ ભૂમિમાંથી નીકળી પ્રથમ ગુણસ્થાનકે આવે છે. . પ્રથમ ગુણસ્થાનકે શું શું પ્રાપ્ત થાય તે બતાવે છે. પુરૂષની એળખાણ, તેની ઉપર શ્રદ્ધા, કુગુરૂ તથા ધર્મમત વિગેરેના દુરાગ્રહને જેમાં સમાવેશ થાય છે. તે પાંચ મિથ્યાત્વનો નાશ, ત્યાગ વૈરાગ્યાદિની પ્રાપ્તિ, એ વિગેરે ગુણે પ્રથમ ગુણ સ્થાનકે આવે છે, ત્યારે મિથ્યાત્વ મેહનીયનો નાશ થાય છે. ૫૬-અ કહેવાનો હેતુ એક એ છે કે ખાટલાને જ્યારે ચાર પાયા હેય હોય ત્યારે તે કામમાં આવે છે. તેમાં જે એક પાયો ભાંગી જાય તો તે ખાટલું કામ આવતો નથી. તે રીતે સંસારરૂપ ખાટલાને મિથ્યાત્વ, કપાય અવિરતિ, અને યોગ એમ ચાર પાયા છે, તેમાંથી પ્રથમ ગુણસ્થાનકે જીવ આવે ત્યારે તેને પાંચ મિથ્યાત્વ સહિત મિથ્યાત્વમેહનીને નાશ થાય છે. તેથી સંસારરૂપખાટલાને એક પાયો ભાંગી જાય છે, તેમ થવાથી સંસારમાં રખડવાનું ઘટી જાય છે. સર્વકર્મોમાં મેહનીયકર્મ બળવાન છે, તેમાં પણ ત્રણ મહિનાની પ્રકૃતિ બળવાન છે, તેમાં પ્રથમ મિથ્યાત્વ મેહની તથા નપુંસકવેદ અને બીજા કર્મની ચૌદ પ્રકૃતિ, એમ સર્વ મળી ૧૬ પ્રકૃતિને અંત અત્રે થાય છે. ૫૭–૨) ગુણસ્થાનક-પ્રથમ ગુણસ્થાનકે ત્યાગ વૈરાગ્યાદિને પ્રાપ્ત કરી જડ તથા આત્મા–એ બે દ્રવ્યને યથાર્થ વિચાર થાય તેવી વિચારશ્રેણી અત્રે પ્રગટે છે. વળી અનંત સંસારની વૃદ્ધિ કરનારે અનંતાનુબંધી કષાયની ચેકડીને બંધમાંથી નાશ થાય છે, એટલે બંધ પડતા અટકે છે. સ્ત્રીવેદ તથા નકમાં લઈ જનાર એવી દર્શનાવરણીયની થીણુદ્ધ વિગેરે મોટી ત્રણ નિદ્રાને અત્રે નાશ થાય છે, એમ બીજાં પણ કર્મની પ્રકૃતિ મળી ૨૫ પ્રકૃતિને અત્રે નાશ થાય છે. ૫૮-(૩) ત્રીજું ગુણસ્થાનક-અત્રે બીજાની પેઠે આત્મા તથા જડ-એ બે દ્રવ્યના વિચારમાં આત્માને સુવિચારણું પણ બળવાન હોવાથી પ્રવ્યનું સ્વક્ષ અવિરેધપણે વિશેષ વિચારે છે અને તે સુવિચારથી મેહનીય કર્મની
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy