SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ચમ-નિયમ ] ૩૧ રિધમાં સમાવે છે અને તેને આસનસિદ્ધિ માટે આવશ્યક માને છે. શૌચને સામાન્ય અર્થ પવિત્રતા છે. તે બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારની હોય છે. તેમાં અત્યંતર પવિત્રતા વિશેષ ઉપકારક છે. આ પવિત્રતા માટે મન, વચન અને કાયાની શુદ્ધિ જોઈએ. તે માટે જૈન મહર્ષિએ પ્રારંભમાં જ મન, વચન અને કાયથી પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે અને પ્રમાદાદિ દેથી એ પ્રતિજ્ઞામાં કે ઈદે લાગે તે તેની નિંદા, ગહ અને મેગ્ય પ્રાયશ્ચિત વડે શુદ્ધિ કરે છે. વળી મનેગુમિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓનું જે વિધાન કરવામાં આવ્યું છે, તેને અર્થ પણ એ જ છે કે મન-વચન-કાયાને અપ્રશસ્ત પ્રવૃત્તિથી બચાવી લેવાં અને એ રીતે તેની શુદ્ધિ જાળવી રાખવી. દશ પ્રકારના યતિધર્મમાં શૌચને સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે પણ એ જ દર્શાવે છે કે જેન : પરંપરામાં શૌચનું મહત્ત્વ અન્ય કેઈસંપ્રદાય કરતાં જરાયે ઓછું નથી. સંતેષને સામાન્ય અર્થ તૃષ્ણાત્યાગ છે. તે માટે , જૈન શાસ્ત્રોએ વારંવાર જોરદાર ઉપદેશ આપે છે અને દશવિધ યતિધર્મમાં તેને પણ સ્પષ્ટ નિર્દેશ કરેલો છે. અહીં એ સ્પષ્ટતા કરવી આવશ્યક ગણશે કે મનને કલુષિત કરનારી ચાર વૃત્તિઓને જૈન શાસ્ત્રોએ કષાયની ઉપમા આપી છે અને તેમાં લેભને પણ સમાવેશ કર્યો છે કે જે
SR No.022924
Book TitleJain Shikshavali Yogabhyas
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy