SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ તપની મહત્તા શરૂઆતમાં કડવાં પણ પરિણામે સુંદર એવાં બાહ્ય અને અભ્યંતર અને પ્રકારનાં તા હમેશા કરવાં, કારણ કે રસાયણુ જેમ દુષ્ટ રાગેાનો નાશ કરે છે, તેમ આ તપેા કુકના સમૂહના નાશ કરે છે.' ૪ " ૧૫-તપ કેવી રીતે કરવું ? તપ કેવી રીતે કરવું ? તે ખાખતમાં જૈન મર્ષિ આએ નીચેની સૂચનાઓ આપી છેઃ (૧) તપ પૂજા, પ્રસિદ્ધિ કે દુન્યવી લાલેા માટે ન કરવું, પણુ માત્ર કક્ષયના હેતુથી જ કરવું, તપથી દુન્યવી લાભની ઈચ્છા કરવી એ રત્નને બદલે કેાડી મેળવવા જેવા મૂર્ખાઈભરેલા વ્યવહાર છે. (૨) તપ એવી રીતે કરવું કે જેથી કાઈ અંગમાં ખાડખાંપણ આવે નહિ. અંગમાં ખાડખાંપણ આવે તે નિત્યની ધમ પ્રવૃત્તિઓ હણાય. (૩) તપ એવી રીતે ન કરવું કે જેથી મન અમગળનું ચિંતન કરવા લાગે, અર્થાત્ આ ધ્યાન-રૌદ્રધ્યાનમાં ચડી જાય. (૪) તપ આજીવવિકાના હેતુથી પણ કરવું નહિ. જેએ તપની મહત્તા સમજીને તેનુ યથાવિધ આરાધન કરશે, તેઓ સુખ અને શાંતિની અદ્રશ્ય પ્રાપ્તિ કરશે તથા મહા મહેનતે મળેલા મનુષ્યભવને સફળ કરી શકશે. इति शम् ।
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy