SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ તપની મહત્તા ગ્રંથો લખ્યા છે. તેમાં ઉપવાસથી થતા લાભે પર ઘણે પ્રકાશ પાડવામાં આવ્યું છે. (૨) ઊ રિકા-ઉદરને અર્થાત્ પેટને ડું ઊન એટલે ઊણું રાખવું; અર્થાત્ પ્રમાણ કરતાં થોડે એ છે ખારાક લે તેને ઊને દરિકા કહેવામાં આવે છે. ઠાંસીને જમવાથી મગજ પર લેહીનું દબાણ વિશેષ થાય છે. પરિણામે કૃતિ ઓછી થઈ જાય છે તથા આળસ અને ઊંઘ આવવા માંડે છે. વળી ઠાંસીને જમવાથી શરીરમાં મેદનું પ્રમાણ વધે છે અને રાત્રે સ્વપ્નદોષ પણ થાય છે. બ્રહ્મચર્યની આઠમી વાડમાં “ગરિમાત્રાssમો–પ્રમાણથી અધિક આહાર કરે નહિ” એમ જે કહેવાયું છે, તેનું મુખ્ય કારણ આ જ છે. જેણે બ્રહ્મચર્યનું શુદ્ધ પાલન કરવું હોય તેણે પરિમિત આહાર જ કરે જોઈએ. આ તપથી મન પર કાબૂ આવતે જાય છે. | (૩) વૃત્તિસંક્ષેપ–ભજન અને જળ વડે જીવતા રહી શકાય છે, એટલે તેને વૃત્તિ કહેવામાં આવે છે. આ વૃત્તિને સંક્ષેપ કરે એ વૃત્તિસંક્ષેપ નામનું તપ છે. તેને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સંક્ષેપ કરતાં ઉમ તિતિક્ષા થાય છે. જેમ કે અમુક જાતની ભિક્ષા મળે તે જ લેવી એ દ્રવ્યસંક્ષેપ. એક, બે કે અમુક ઘરમાંથી ભિક્ષા મળે તે જ લેવી એ ક્ષેત્રસંક્ષેપ. દિવસના પ્રથમ પ્રહરમાં કે મધ્યાહ્ન પછી જ ભિક્ષા લેવા જવું એ કાલસંક્ષેપ. સાધુઓને મધ્યાહુને જ ગેચરી કરવાની છે, એ
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy