SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ગૃહસ્થ માટે તપનું વિધાન કરવું અને ભાવશુદ્ધિ થાય તેવા શાસ્ત્રપાઠનું સ્મરણ કરવું એ જિનાગમેમાં કહેલા શ્રાવકને ધર્મ છે.” देवपूजा गुरुपास्तिः स्वाध्यायः संयमस्तपः । दानं चेति गृहस्थानां, षट्कर्माणि दिने दिने । તીર્થંકરદેવની પૂજા કરવી, ગુરુની સેવા કરવી, સ્વાધ્યાય કરે, સંયમ પાળ, તપ કરવું અને દાન દેવું એ ગૃહસ્થોનાં છ નિત્યકર્મો છે.” ગૃહસ્થનાં દૈનિક કૃત્ય પર આવીએ તે સવારમાં નમસ્કાર મહામંત્રના જપ–ધ્યાન પછી ધર્મજાગરિકા આવે છે ને ત્યાર પછી ષડાવશ્યકરૂપ રાત્રિક પ્રતિક્રમણ કરવાનું હોય છે. તેમાં તપચિંતામણીને કાર્યોત્સર્ગ કરવાનો હોય છે. તે ન આવડે તે સેળ નવકાર (નમસ્કાર) ગણવાની પ્રવૃત્તિ છે, પણ ખરી રીતે ત્યાં તપનું ચિંતન કરવું જોઈએ. તે આ પ્રમાણે - “શ્રી વીર ભગવાને છ માસનો તપ કર્યો હતે. હે ચેતન! તે તપ તું કરી શકીશ? અહીં મનમાં ઉત્તર ચિંત છે તેવી શક્તિ નથી અને પરિણામ નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસ એ છે કરીને વિચાર કરે. એમ કરતાં પાંચ માસ સુધી આવવું. પછી એક એક માસ એ છે કરીને વિચાર કરે અને એક માસ સુધી આવવું. પછી એક દિન ઊણ માસખમણ, બે દિવસ ઊણ માસખમણે એમ તેર દિવસ ન્યૂન સુધી એટલે સત્તર ઉપવાસને વિચાર કરે. પછી “હે ચેતન ! તું ત્રીસ ભક્ત
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy