SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મમાં તપને અપાયેલું મહત્વનું સ્થાન ૪૫ ચિંતન કરવા માટે જે ગાથાઓ પ્રસિદ્ધ છે, તેમાં આ છેલ્લે ક્રમ જોવામાં આવે છે. જેમકે – नाणम्मि दसणम्मि, चरणम्मि तवम्मि तहय वीरियम्मि । आयरणं आयारो, इय एसो पंचहा भणिओ ॥ જ્ઞાનના વિષયમાં, દર્શનના વિષયમાં, ચારિત્રના વિષયમાં, તપના વિષયમાં તથા વીર્ય (પુરુષાર્થ) ના વિષયમાં જે આચરણ કરવું તે આચાર કહેવાય છે. આ આચાર અહીં પાંચ પ્રકારનો કહે છે.” તાત્પર્ય કે આ વિધાનોમાં અપેક્ષાભેદ છે, પણ તાત્વિક ભેદ નથી. અહીં બીજે એ પ્રશ્ન પૂછવાનો સંભવ છે કે તપ એ મોક્ષની પ્રાપ્તિનું મુખ્ય સાધન હોય તે શ્રી તત્વાર્થકારે તેને સ્પષ્ટ નિર્દેશ ન કરતાં “વિશ્વશન નજારિકા મોક્ષમા” એવું સૂત્ર કેમ કહ્યું?” આ પ્રશ્નનું સમાધાન એ છે કે “શ્રી ઉમાસ્વાતિ મહારાજને તત્વનો સંગ્રહ બને તેટલો સંક્ષેપમાં કરો હતો, એટલે તેમણે તપને ચારિત્રને જ એક ભાગ માની જૂદે નિર્દેશ ન કર્યો, પણ તેને અર્થ એ નથી કે તેઓ મેક્ષની સાધના માટે તપને જરાયે ઓછું મહત્તવનું સમજ્યા હતા. “તારા ૪” એ સૂત્ર વડે તેમણે તપની કર્મવિનાશક શક્તિનો *નીચેને દુહા ક્રિયામાર્ગમાં પ્રચલિત છે – શ્રદ્ધા મૂલ કિરિયા કહી, તેહનું મૂલ તે જ્ઞાન; તેથી શિવસુખ બહુ જના, પામ્યા ધરી એક તાન.
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy