SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ : તપની મહત્તા નંદિષેણ મુનિ આ નિયમનું દઢતાથી પાલન કરતા હતા, એટલે ધીમે ધીમે તેમની કીતિ સર્વત્ર પ્રસરી ગઈ અને લેકે શતમુખે તેમનાં વખાણ કરવા લાગ્યાં. પરવીન કલ્પના અને કીતિ વગર પાંખે ઉડે છે અને ફરસુદૂર પહોંચી જાય છે, એટલે નંદિષેણ મુનિની આ કીતિ સ્વર્ગનાં સિંહાસન પર વિરાજી રહેલા ઇંદ્ર મહારાજ સુધી પહોંચી અને તેમણે એક દિવસ ભરસભામાં તપસ્વી નંદિBણ મુનિનાં વખાણ કર્યા. તે બે દેવોથી સહન થયાં નહિ, એટલે તેમણે નંદિષેણમુનિની પરીક્ષા કરવાને વિચાર કર્યો. દરેક નિયમની પરીક્ષા કે કસોટી થાય છે, એમ અનુભવીએએ કહ્યું છે, તે ખોટું નથી. નંદિષેણ મુનિ પારણું કરવાની તૈયારીમાં હતા, ત્યાં પિલે શિષ્ય આવી પહેચ્ચે અને કહેવા લાગ્યું કે, “હે મુનિ! તમારી પ્રતિજ્ઞા સાધુઓનું વૈયાવૃત્ય કરીને આહાર પાણી વાપરવાની છે તે ખાવા કેમ બેસી ગયા? આ નગરીની બહાર એક વદ્ધ સાધુ આવેલા છે, તે અતિસારના રોગવાળા છે અને ભૂખ્યા-તરણ્યા છે.” રક નિયણિમુનિના બે થી એટલે નંદિપેણ મુનિ પારણું કરવાનું મુલતવી રાખી ઊભા થયા ને શુદ્ધ પાણું વહોરી લાવી નગર બહાર વૃદ્ધ મુનિ પાસે ગયા. ત્યાં એ મુનિએ આક્રોશ કરીને કહ્યું કે અરે અધમ ! તારી પ્રતિજ્ઞા કયાં ગઈ? હું અહીં આવી અવસ્થામાં પડયો છું ને તું તે પારણું કરવા બેસી ગયો.”
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy