SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ તપની મહત્તા વાતાવરણ બદલાવાથી માણસનાં મનમાં પલટો આવે છે અને તે પેાતાનું દુઃખ ભૂલી જાય છે, એ અનુભવ નર્દિષણને પણ થયા, તાત્પર્ય કે જુદાં જુદાં સ્થાનના પ્રવાસ કરતાં તે પેાતાનુ' દુઃખ વિસરી ગયા. પરંતુ એક વખત કોઈ નગરનાં ઉદ્યાનમાં તે આરામ કરી રહ્યો હતા, ત્યાં સ્ત્રીપુરુષનાં એક યુગલને નિર'કુશ ક્રીડા કરતુ જોયુ, એટલે વિસરાઈ ગયેલું દુ:ખ તા' થયું' અને તે પેાતાના ભાગ્યને વારંવાર નિઢવા લાગ્યા. એમ કરતાં તે એવા નિણ્ય પર આન્યા કે ‘આ રીતે જીવવા કરતાં મરવુ શુ ખાટુ ?? મનુષ્યને જ્યારે પેાતાનાં જીવનમાં કોઇ જાતના રસ રહેતા નથી, ત્યારે મૃત્યુ તેને મીઠું લાગે છે. ૧૮ ' નર્દિષણ ઉદ્યાનના એક નિર્જન ભાગમાં આન્યા અને ત્યાં ગળે ફાંસો ખાવાની તૈયારી કરી, ત્યાં પાસેની વૃક્ષ ઘટામાંથી એક અવાજ આળ્યે સબૂર ! સબૂર ! આવુ સાહસ કરીશ નહિ. તારે સુખ મેળવવું હોય તેા ધર્મને શરણે જા. ’ અચાનક આવા શબ્દો સાંભળતાં નર્દિષણ સાવધ થયા અને ચારે ખાનુ ઝીણી નજરે જોવા લાગ્યા. ત્યાં ધીર ગંભીર મુદ્રાએ ઊભા રહેલા એક મુનિ તેની નજરે પડયા. નર્દિષણ તેમની પાસે ગયા અને ચરણે ઝુકયા. મુનિએ તેને ધર્મલાભ આપ્યા અને કહ્યું કે હે મહાનુભાવ! लभंति विडला भोगा, लभति सुरसंपया । लभंति पुत्तमित्तं च, एगो धम्मो दुलम्भइ ॥
SR No.022923
Book TitleJain Shikshavali Tapni Mahatta
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy