SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રત્યાખ્યાનના પ્રકારો ] આ વાસ. સૂર્યોદયથી માંડીને બીજા સૂર્યાંય સુધી પાણી સિવાય ત્રણ આહારના ત્યાગ કરવા તેને તિવિહાહાર ઉપવાસનું પ્રત્યાખ્યાન કહેવાય છે અને ચારે આહારના ત્યાગ કરવા તેને ચવિદ્યાહાર ઉપવાસનું પ્રત્યાખ્યાન કહેવાય છે. આજે ઉપવાસને અનુક્રમે તેવિહારા ઉપવાસ અને ચવિહારા ઉપવાસ કહેવાય છે. તેમાં તેવિહારા ઉપવાસમાં પારિસી કે દોઢ પારિસી સુધી પાણી વાપરી શકાતું નથી. એકાસણુથી ઉપવાસ સુધીનાં બધાં પ્રત્યાખ્યાનામાં સૂર્યાસ્ત પછી કંઇ પણ વાપરી શકાતું નથી. (૮) દિવસચરિમ. જે પ્રત્યાખ્યાન દિવસના અંત ભાગે લેવાનુ હાય તે દિવસચરમ કહેવાય છે. તેમાં પાણુહાર, ચવિહાર, તિવિહાર, દુવિહાર અને દેશાવકાશિકનાં પ્રત્યાખ્યાને મુખ્ય છે. પાણહાર એટલે દિવસના અંતિમ ભાગ અને સંપૂર્ણ રાત્રિપર્યંત પાણીના ત્યાગ. આ પ્રત્યાખ્યાન એકાસણું, એઆસણુ, એગલઠાણુ તથા આયંબિલ કરનારને કરવાનું હાય છે. ચઉવિહારમાં દિવસના અંતિમ ભાગ અને સંપૂર્ણ રાત્રિપત ચારે આહારના ત્યાગ હાય છે. તેવિહારમાં એજ રીતે અશન, ખાદિમ અને સ્વાદિમ એ ત્રણ હારના અને વિહારમાં અશન તથા ખાદિમ આ બે આહારના ત્યાગ હાય છે તથા દેશાવકાશિકમાં સવારે ચૌદ નિયમા ધાર્યો હાય તેના વધારે સક્ષેપ હેાય છે. (૯) અભિગ્રહ, અમુક રીતે આહાર મળે તેા જ લેવા નહિ તે। ઉપવાસ, અથવા અમુક રીતનુ ધમ પાલન કે પાપત્યાગ રાખવા એવા પ્રત્યાખ્યાનને અભિગ્રહ કહેવામાં આવે છે. (૧૦) વિકૃતિત્યાગ(વિગ ́ત્યાગ). જેમાં ી, ૫૫
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy