SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ સામાન્ય ગૃહસ્થધર્મ અહીં તેને નિષેધ કરવામાં આવે છે. (૧૧) આચિત્તવય–ખર્ચ આવક પ્રમાણે રાખો. જેઓ ઉડાઉપણાની આદતથી કે બીજાની દેખાદેખીથી આવક કરતાં ખર્ચ ઘણે રાખે છે, તે થોડા જ વખતમાં કઢંગી સ્થિતિમાં આવી પડે છે. અર્થાત્ તેની પાસે જે મૂડી હોય તે ખલાસ થાય છે, બીજાને દેવાદાર બને છે અને કદી અવળા માગે પણ ચડી જાય છે. અવિચારી ખર્ચ કરવાથી રાજા-મહારાજાના ભંડાર પણ ખૂટી જાય છે, ત્યાં સામાન્ય ગૃહસ્થનું તે કહેવું જ શું? ત્રેવડ એ ત્રીજો ભાઈ છે, એમ માનીને ચાલનારે ગૃહસ્થ જ આદર્શ બની શકે છે. (૧૨) રેજો વિખવાદનુણાતા–પિશાક વૈભવ વગેરે પ્રમાણે રાખો. ગૃહસ્થની જેવી સ્થિતિ કે જે દરજજો હેય તે પિશાક પહેરો ગ્ય છે. એક શ્રીમંત માણસ મેલાઘેલાં કે ફાટેલાંતૂટેલાં વસ્ત્ર પહેરે તે લોકો જરૂર માને કે આ તે ભારે કૃપણ છે. તે જ રીતે સામાન્ય સ્થિતિને ગૃહસ્થ એકદમ ભારે પિશાક પહેરીને નીકળે તે લેકે જરૂર માને કે આ તે ઉડાઉ છે કે કેઈની બના વટ કરવા નીકળે છે. દરજને એગ્ય પિશાક નહિ પહેરવાથી પણ લોકોમાં નિંદા થવાને સંભવ છે, એટલે અધિકારી, ડૉકટર, વૈદ્ય, વકીલ, વ્યાપારી વગેરેએ પોતપોતાના દરજજાને યોગ્ય પિશાક પહેરવા જોઈએ. અહીં એટલું યાદ રાખવું કે સુઘડતા દરેક અવસ્થાવાળા માટે જરૂરી છે. ' (૧૩) માતાપિત્રન–માતાપિતાની સેવા કરવી. માતાપિતા અનેક પ્રકારનાં કષ્ટો વેઠીને પુત્રપરિવારને
SR No.022920
Book TitleJain Shikshavali Adarsh Gruhastho
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy