SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ અસાધારણ સફળતા મળી, તેનાં ત્રણ કારણેા અમને નીચે પ્રમાણે સમજાયાં છેઃ (૧) તે વખતના ધર્માંપદેશકો મોટા ભાગે સસ્કૃતભાષાના આશ્રય લેતા. તેથી અમુક વર્ગ જ તેના લાભ લઈ શકતા. પરંતુ ભગવાને પોતાનાં પ્રવચના લેાકભાષામાં શરૂ કર્યાં. લાકભાષા એટલે અમાગધી ભાષા. તે વખતે મગધ અને તેની આસપાસના પ્રદેશમાં આ ભાષા ખેાલાતી હતી અને તેમાં અન્ય પ્રાંતીય ભાષાના ઘણા શબ્દો હાવાથી ભારતના બધા લેાકેા તેને સારી રીતે સમજી શકતા હતા. આજે ભારતમાં જે સ્થાન હિંદી ભાષાનું છે, તેજ સ્થાન એ વખતે અમાગધી ભાષાનું હતું. (૨) તે વખતના ધર્મોપદેશકોએ બ્રાહ્મણ, ક્ષત્રિય, અને વૈશ્ય એ ત્રણ વ ને જ ધર્મોપદેશ સાંભળવાના અધિકારી માન્યા હતા. શૂદ્રોને ધમ સંભળાવવા નહિ, એ એમના દૃઢ નિય હતા; એટલું જ નહિ, પણ કદી કોઈ શૂદ્ર જો આડાકાને ધર્મોપદેશ સાંભળી જાય તે તેને સખત શિક્ષા કરવી અને તેના કાનમાં સીસું રેડી દેવું કે લાખ ભરી દેવી એવી ચેાજના તેમણે ઘડી રાખી હતી. આ ચેાજનાનો કવચિત્ ચિત્ અમલ પણ થતા હતા. પરંતુ ભગવાન મહાવીરે પોતાની ધર્મસભા કે વ્યાખ્યાનપરિષનાં દ્વાર દેશ, વણુ, જાતિ કે લિંગના ભેદ વિના સહુને માટે ખુલ્લાં મૂકી દીધાં, એટલે સમસ્ત પ્રજાએ તેના ખૂબ લાભ લીધે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy