SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ કરતા નહિ. તેઓ સદા ખુલ્લા શરીરે રહેતા અને શીત-તાપ તથા દુશ–મશકના પરીષહા સમભાવે સહી લેતા. તે વખતે સામાન્ય માન્યતા એવી હતી કે મૃગચમ, વ્યાઘ્રચર્મ કે કમલ વગેરે પર આસન માંડવામાં આવે અને તે માટે કોઈ વિશિષ્ટ સ્થાન પસંદ કરવામાં આવે તે જ આસનસિદ્ધ થાય, પણ ભગવાને મૃગચર્માદિ કાઈ વસ્તુને ઉપયાગ કર્યાં ન હતા, તેમજ તેઓ દેશના વિવિધ ભાગેામાં વિચરતા રહ્યા હતા. તે વખતે યાગીએ શરીરશુદ્ધિ માટે નેતી, ધેાતી, અરતી વગેરે સાધનોના ઉપયોગ કરતા, પણ ભગવાને તે માટે માત્ર તપશ્ચર્યા કરવાનું' જ રાખ્યું હતું. તપશ્ચર્યામાં તેઓ ઉપવાસને ઘણું મહત્ત્વ આપતા હતા અને મને તેટલા નકારડા ઉપવાસ કરતા હતા. જાણીને આશ્ચય થશે કે તેમણે એ વાર તા છ છ માસના ઉપવાસ પણ કર્યા હતા. ( બીજા છ માસના ઉપવાસ પાંચ દિવસ ઓછા હતા.) પંદર દિવસ અને એક માસના ઉપવાસ તા તેમને માટે સાધારણ ખાખત થઈ પડી હતી. પારણાના દિવસે તે ભૂખ કરતાં થોડું ઓછું જમતા હતા અને આહાર પણ અને તેટલા રસહીન એટલે લૂખા-સૂકા જ લેતા હતા. રાંધેલા ભાત, ખીચડી, સાથવા, અડદના આકળા વગેરે તેમને મુખ્ય આહાર હતા. અપ્રમત્ત ભાવે રહેવું એ તેમના મુખ્ય સિદ્ધાંત હતા, એટલે તેએ પ્રમાદ ન આવી જાય તેની ખૂબ સાવચેતી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy