SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પ્રાપ્ત થયું. એ હતો વૈશાખ સુદિ ૧૦ ને દિવસ, એ હતે ચોથા પહેરને સમય. ચિત્તનું ચલવિચલપણું સર્વથા મટી જાય, એટલે સમાહિત દશા પ્રાપ્ત થાય છે અને તે અલૌકિક આનંદને અનુભવ કરાવે છે. આ રીતે ભગવાન મહાવીરને હવે સચ્ચિદાનંદ કે આનંદઘન દશા પ્રાપ્ત થઈ હતી અને તે જીવનના છેડા સુધી ટકી હતી. એટલું યાદ રહે કે ભગવાન એક મહાન રાગી હતા અને તેમણે આગળ જતાં પિતાના શિષ્યને પણ રાજગની જ દીક્ષા આપી હતી. –ગસાધનાની કેટલીક વિશેષતા સામાન્ય રીતે ચગદીક્ષા કઈ ગુરુ આપે છે અને સાધકે તેમના માર્ગદર્શન પ્રમાણે જ આગળ વધવાનું હોય છે, પણ ભગવાન મહાવીરે દીક્ષા સ્વયં લીધી હતી અને તેઓ પિતાના અનુભવના આધારે જ આગળ વધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચ્યા હતા. જન શાસ્ત્રકારોએ તેમને સ્વયંસંબુદ્ધ કહ્યા છે, તેનું કારણ આ જ છે. ભગવાને ગસાધના કરવા માટે કઈ આશ્રમ કે પર્ણકટિને પોતાના કર્યા ન હતાં. તેઓ એ સારી રીતે જાણતા હતા કે-આવા આશ્રમે અને આવી પર્ણકુટિએ આખરે મેહ-મમતાનું કારણ બને છે અને સાધકને સાધનાશ્રષ્ટ કરે છે. સાધુજન તે રમતા જ ભલા !
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy