SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ २०० [ શ્રી વીર- વચનામૃત પણ વસ્તુમાં નેહ ન કરે. સ્નેહ કરનારાઓની વચ્ચે જે નિનેહી-નિર્મોહી થાય છે, તે દેષ-પ્રદેશોથી છૂટી જાય છે. अत्थंगयंमि आइच्चे, पुरत्था य अणुग्गए । आहारमाइयं सव्वं, मणसा वि न पत्थए ॥५८।। [ દશ અ. ૮, ગા. ૨૮ ] સંયમી પુરુષ સૂર્યાસ્ત થયા પછી અને સૂર્યોદય થયા પહેલાં કોઈ પણ પ્રકારના આહારની ઈચ્છા મનથી પણ ન કરે. सन्तिमे सुहमा पाणा, तसा अदुव थावरा । जाइ राओ अपासंतो, कहमेसणियं चरे ? ॥५९॥ [ દશ. અ ૬, ગા. ૨૩ ] ધરતી પર એવા ત્રસ અને સ્થાવર સૂક્ષ્મ જીવે સદૈવ વ્યાપ્ત રહે છે, જે રાત્રિના અંધકારમાં જોઈ શકાતાં નથી, તે એવા સમયે આહારની શુદ્ધ ગષણ શી રીતે થઈ શકે ? उदउल्लं बीयसंसत्तं, पाणानिव्वडिया महिं । दिया ताई विवज्जेज्जा, राओ तत्थ कहं चरे ? ॥६॥ [ દશ. અ૦ ૬, ગા૦ ૨૪ ]. જમીન પાણીથી ભીની હય, અથવા તેના પર બીજ પડ્યાં હોય, અથવા–કીડી-કંથવા આદિ ઘણા પ્રકારના સૂફમ જી રહેલા હોય, તે બધાનું વર્જન કરીને દિવસમાં તે ચાલી શય, પણ રાત્રિએ કઈ દેખી શકાતું નથી તે શી રીતે ચાલી શકાય?
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy